SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૨૧ [લલિતવિસ્તરામાં માર્ગનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે- “માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ અને એ સર્પને પેસવાની નળીની લંબાઈ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર અને સ્વરસથી (સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો ક્ષયોપશમવિશેષ છે.” અહીં માર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ. સામાન્યથી આપણે આગળ જવા માટેના રસ્તાને માર્ગ કહીએ છીએ. પણ અહીં તો ગતિને જ માર્ગ કહ્યો છે. ચિત્તની સરળ ગતિ એ માર્ગ છે. કોઈ ઈષ્ટ સ્થાને જલદી પહોંચવું હોય તો સીધા ચાલવું જોઇએ. જેટલું આડું-અવળું ચલાય તેટલું મોડું પહોંચાય. બે માણસ એક જ ઈષ્ટ સ્થાને જતા હોય, તેમાં એક જ માર્ગ હોય તે માર્ગે સીધો ચાલે અને બીજો એ જ માર્ગે ઘડીકમાં આ તરફ ચાલે, ઘડીકમાં બીજી તરફ ચાલે એમ આડો-અવળો થયા કરે, તો આ બેમાં સીધો ચાલનાર જલદી ઈષ્ટ સ્થાને પહોંચે. તેમ અહીં અધ્યાત્મમાર્ગમાં સીધી ગતિએ ચાલનાર જલદી આગળ વધી શકે છે. માટે અહીં કહ્યું કે “માર્ગ એટલે ચિત્તની સરળગતિ. હવે આ ચિત્તની સરળગતિથી શું સમજવું? એના જવાબમાં કહ્યું કે ચિત્તની આ સરળગતિ ક્ષયોપશમવિશેષ છે. કોનો ક્ષયોપશમવિશેષ? મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમવિશેષ. સરળગતિને દષ્ટાંતથી સમજાવવા કહ્યું કે આ ક્ષયોપશમ સર્પને પેસવાની નળીની લંબાઈ તુલ્ય છે, અર્થાત્ સર્પને પેસવાની નળીની લંબાઈ સરળ હોય છે, ક્યાંય વાંકી ચૂકી નથી હોતી, જેથી સર્પનો વક્રગતિ કરવાનો સ્વભાવ હોવા છતાં સર્પને સરળ જ ગતિ કરવી પડે છે. જે રીતે સર્પ સરળ ગતિથી બિલમાં પ્રવેશે છે તે રીતે પ્રસ્તુતમાં સરળ ગતિ કરનાર જીવ અનેક ગુણોને પામે છે. માટે કહ્યું કે- “આ ક્ષયોપશમ તત્ત્વજિજ્ઞાસા, તત્ત્વજ્ઞાન, સમ્યગ્દર્શન વગેરે વિશિષ્ટ ગુણોના સ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર છે.” આ ગુણસ્થાનની પ્રાપ્તિ ત્યારે જ થાય કે જો એ ક્ષયોપશમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy