________________
શંકા-સમાધાન
૪૧૫
જાણવા મળે. જિનાજ્ઞાનુસારી પ્રરૂપણા કરનાર સામાન્ય વક્તાના વ્યાખ્યાનમાં રસ ન પડતો હોય તો તે શ્રોતાની ખામી ગણાય. આમ છતાં તદ્દન નિરસ વ્યાખ્યાન હોય તો ધાર્મિક વૈરાગ્ય પોષક પાક્ષિકો વગેરે કે પુસ્તકો વાંચી શકાય.
શંકા— ૯૨૭. વ્યાખ્યાન-ધાર્મિક કાર્યક્રમ-પૂજા-ગુણાનુવાદ આદિ પ્રસંગે સમયની કોઇ મર્યાદા હોય કે નહિ ? અને તેમાં ય સભા તૂટી જશે તેવા ભયથી પ્રભાવના ચાલુ ન જ થવા દેવી અને તેથી બાલજીવો હેરાન-પરેશાન થતા હોય તેવા સમયે વધુ લાભ શાનાથી મળે ?
સમાધાન– આવા પ્રસંગોમાં સમયની મર્યાદા હોવી જોઇએ અને સભાને પરાણે બેસાડી રાખવાનો કોઇ અર્થ નથી. સામાન્યથી આ જણાવ્યું છે. વિશેષથી તો ગીતાર્થ સાધુઓ અને અનુભવી શ્રાવકો પ્રસંગને અનુરૂપ દીર્ઘદષ્ટિથી વિચારીને જે યોગ્ય લાગે તે કરે. વિશિષ્ટ પુણ્યસંપન્ન મહાપુરુષના ગુણાનુવાદ હોય અને અચ્છા વક્તા હોય તો ઘણા સમય સુધી પણ સભા શાંતિથી સાંભળે છે. આથી આ વિષયમાં કોઇ એક જ નિયમ ન હોઇ શકે.
શંકા- ૯૨૮. ભગવાન મહાવીરની સોળ પહોરની દેશના આસો વદ અમાસની રાતે પૂરી થઇ તો શું તેરસની રાતે દેશના શરૂ થઇ હતી ? સમાધાન શ્રી મહાવીર સ્વામી ભગવાન આસો વદ અમાસની રાતે છેલ્લા પ્રહરના અર્ધા ભાગમાં(=લગભગ દોઢ કલાક રાત બાકી હતી ત્યારે) નિર્વાણ પામ્યા. આથી ચૌદશની સવારથી દેશના શરૂ થઇ હતી એમ કહી શકાય. ચૌદશના દિવસ-રાતના આઠ પહોર અને અમાસના રાત-દિવસના આઠ પહોર એમ કુલ ૧૬ પ્રહર થાય.
મહાવીર સ્વામી ભગવાન અમાસની મધ્યરાત્રિએ નિર્વાણ પામ્યા એવી પ્રસિદ્ધિ છે. પણ તે બરોબર જણાતી નથી. કારણ કે ‘દીપોત્સવ કલ્પ” નામના ગ્રંથમાં ચરમજામદ્ધ(=રાતના છેલ્લા પહોરના અર્ધા ભાગમાં) એવો પાઠ છે તથા સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં નિર્વાણ પામ્યા એવો પાઠ અનેક ગ્રંથોમાં છે. સર્વાર્થસિદ્ધ મુહૂર્ત રાત્રિ દોઢ કલાક જેટલી બાકી હોય ત્યારે શરૂ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org