________________
૪૧૪
શંકા-સમાધાન
શ્રોતાના અંતરમાં શુભભાવ પ્રાયઃ પેદા ન કરી શકે. વાચના અને વ્યાખ્યાન કરુણાબુદ્ધિથી કરી શકાય અને મહત્ત્વાકાંક્ષા બુદ્ધિથી પણ કરી શકાય. આનાથી લોકો ધર્મ પામે એવી બુદ્ધિ કરુણાબુદ્ધિ છે. આનાથી મને માન-સન્માન મળે, લોકમાં મારું મહત્ત્વ વધે, આવી બુદ્ધિ મહત્ત્વાકાંક્ષી બુદ્ધિ છે. આવી બુદ્ધિ રાખનાર પ્રાયઃ બીજાને ધર્મ ન પમાડી શકે. કદાચ તેવા પુણ્યોદયના કારણે બીજાને ધર્મ પમાડી દે, તો પણ પોતે દુર્ગતિમાં જાય એવું પણ બને. અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથમાં કહ્યું છે કે- “તપ, શાસ્ત્રાધ્યયન, ધમપદેશ વગેરે લોકરંજન માટે કરે, અથવા પોતાના સત્કાર-સન્માન થાય, લોકો મને વંદન કરે, પૂજે એવી ઇચ્છા રાખે, તે સાધુ સંસારને વધારે છે.”
શંકા- ૯૨૫. રાત્રિ સમયમાં કેવળ પુરુષોની સમક્ષ સાધુઓ પ્રવચન આપી શકે કે નહિ ?
સમાધાન– આપી શકે. જોકે મુખ્યતયા સાધુઓને અને શ્રાવકોને રાત્રિના સમયે ભણેલાનું પુનરાવર્તન વગેરે સ્વાધ્યાય કરવાનું વિધાન છે. આમ છતાં આજે ઘણા શ્રાવકો જિજ્ઞાસુ હોવા છતાં દિવસના પ્રવચન સાંભળવાનો સમય મેળવી શકતા નથી. આવા શ્રાવકો જિનવાણીથી બિલકુલ વંચિત ન રહે એ માટે અપવાદથી રાતે પણ કેવળ પુરુષોની સમક્ષ સાધુઓ પ્રવચન આપી શકે.
શંકા– ૯૨૬. કોઈ સમુદાયના સાધુ ભગવંતના વ્યાખ્યાનમાં રસ ન પડતો હોય તો વ્યાખ્યાનમાં ન જતાં ઘરે જ ધાર્મિક વૈરાગ્ય પોષક પાક્ષિકો વગેરે પુસ્તકો વગેરે વાંચીએ તો ચાલે ?
સમાધાન– વ્યાખ્યાનમાં સમુદાય કે સાધુ ગૌણ છે, જિનાજ્ઞાનુસારી પ્રરૂપણા મુખ્ય છે. આથી જેના વ્યાખ્યાનમાં જિનાજ્ઞાનુસારી પ્રરૂપણા થતી હોય તેના વ્યાખ્યાનમાં જવું જોઈએ. જિનાજ્ઞાનુસારી પ્રરૂપણા કરનાર જોશીલા વક્તા ન હોય તો પણ તેના વ્યાખ્યાનમાં જવું જોઇએ. ક્યારેક એવું પણ બને કે જે વાત જોશીલા વક્તાના વ્યાખ્યાનમાં જાણવા ન મળે તે સામાન્ય વક્તાના વ્યાખ્યાનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org