________________
શંકા-સમાધાન
૪૧૩ શંકા- ૯૨૪. શિબિરો અને જાહેર વ્યાખ્યાનોની સંખ્યા વધી છે, તેટલા પ્રમાણમાં આરાધકોની સંખ્યા વધતી નથી. તો તેનું શું કારણ છે ? શું આ પ્રવૃત્તિ માત્ર પ્રતિષ્ઠા ખાતર કે જાહેરાત માટે જ છે?
સમાધાન– શિબિરો અને જાહેર વ્યાખ્યાનોની સંખ્યા વધવા છતાં તેટલા પ્રમાણમાં આરાધકોની સંખ્યા ન થતી હોય, તો તેમાં વાચનાપ્રદાનની અને વ્યાખ્યાનની શૈલી, વાચનાદાતા અને વ્યાખ્યાનકારનો ભાવ, વાચનાદાતા અને વ્યાખ્યાનકારનું આચરણ, વાચનાદાતા અને વ્યાખ્યાનકારનું પુણ્ય, કાળનો પ્રભાવ વગેરે અનેક કારણો હોઈ શકે છે. આ બધા કારણોમાં વાચનાદાતા અને વ્યાખ્યાનકારના આચરણની અને ભાવની મુખ્યતા છે. શ્રોતાઓના અંતરમાં શુભભાવના ઉત્પન્ન કરવામાં વાચનાદાતાનો અને વ્યાખ્યાનકારનો શુભભાવ મુખ્ય કારણ છે. આથી જ પંચવસ્તુક નામના ગ્રંથમાં કહ્યું છે કે “આચાર્ય વગેરે ગુરુએ પણ શુદ્ધક્રિયારૂપ ચરણયોગમાં રહીને ઉપયોગપૂર્વક વિશુદ્ધ ભાવથી સૂત્ર આપવું, શાસ્ત્રો ભણાવવા. કારણ કે પ્રાય: શુભભાવથી શુભભાવ પેદા થાય છે. લોકમાં પણ શુભભાવથી ભાવિત વક્તાથી (શ્રોતામાં) શુભભાવ પેદા થાય એ સિદ્ધાંત સિદ્ધ છે.”
અહીં “શુદ્ધ ક્રિયારૂપ ચરણયોગમાં રહીને” એમ કહીને ગુરુએ પોતે આચારોનું બરોબર પાલન કરવું જોઈએ એમ સૂચવ્યું છે. વિશુદ્ધ ભાવથી સૂત્ર આપવું એમ કહીને માન-સન્માન કે ખ્યાતિ મેળવવા માટે નહિ, કિન્તુ કરુણાબુદ્ધિથી સૂત્ર આપવું એમ સૂચન કર્યું છે. આમ વાચનાદાતાએ અને વ્યાખ્યાનકારે સ્વયં આચારોનું પાલન કરવું જોઇએ, તથા વાચના અને વ્યાખ્યાન આપવામાં કરુણાબુદ્ધિ હોવી જોઇએ.
શું આ પ્રવૃત્તિ માત્ર પ્રતિષ્ઠા ખાતર કે જાહેરાત માટે છે ? આ પ્રશ્નના સમાધાનમાં જણાવવાનું કે આનો વિચાર વાચનાદાતા અને વ્યાખ્યાનકારે કરવો જોઇએ. જે વાચનાદાતા અને વ્યાખ્યાનકારનો વાચના આપવામાં અને વ્યાખ્યાન કરવામાં પોતાની પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ મેળવવાનો આશય હોય તે વાચનાદાતા અને વ્યાખ્યાનકાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org