________________
૪૧૨
શંકા-સમાધાન
શંકા- ૯૨૧. વ્યાખ્યાનમાં સામાયિક લેતી વખતે “જાવસુય” બોલ્યા હોઇએ અને વ્યાખ્યાનમાં બે-ત્રણ કલાક થાય તો બે-ત્રણ સામાયિક ગણાય ?
સમાધાન- એક જ સામાયિક ગણાય.
શંકા- ૯૨૨. વ્યાખ્યાનસભામાં બેઠેલી સ્ત્રીઓ તરફ પુરુષોની દૃષ્ટિ ન પડે એટલા માટે સ્ત્રીઓ આડે પાટિયા મુકાય છે. આવી આપણી શાસનમર્યાદા છે. તો પછી (કદાચ સ્ત્રીનું બહુમાન સ્ત્રી કરે તો પણ) પુરુષોવાળી વ્યાખ્યાન સભામાં બહુમાન કરવા માટે સ્ત્રીઓને ઊભી કરવી તે ઉચિત જણાય છે ?
સમાધાન– આ જરાય ઉચિત જણાતું નથી. જેવી રીતે સાધ્વીજી મ. બેઠા હોય અને તેમનું પૂજન કરાય છે, તેમ સ્ત્રીઓ બેસી રહે અને તેમનું બહુમાન સ્ત્રી કરે તે જ ઉચિત છે. આવો પ્રશ્ન ઉઠાવવા બદલ પ્રશ્નકારને ધન્યવાદ. શંકા- ૯૨૩. વ્યાખ્યાન અને વાચનાનો ભેદ શો ? સમાધાન- સાધુઓને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો વંચાવવામાં આવે કે પ્રેરક હિતોપદેશ આપવામાં આવે તેને વાચના કહેવાય. ગૃહસ્થોને અપાતો હિતોપદેશ વ્યાખ્યાન છે. આજે શ્રાવકોને નિયત કરેલા અમુક દિવસો સુધી અપાતા વ્યાખ્યાન માટે પણ વાચના શબ્દનો પ્રયોગ શરૂ થયો છે. શબ્દો માટે તો એવું છે કે કોઈ શબ્દ અમુક અર્થમાં રૂઢ થઈ ગયા પછી શબ્દાર્થ ન ઘટતો હોય તો પણ તે શબ્દનો પ્રયોગ થાય. જેમ કે પ્રભુની રથયાત્રા માટે વરઘોડો શબ્દ પ્રચલિત છે. પ્રભુની રથયાત્રામાં ન તો વર હોય અને ન તો ઘોડો હોય, તો પણ વરઘોડો કહેવાય. પૂર્વે લગ્નના આગલા દિવસે વરને ઘોડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવતો હતો. તેથી આ ક્રિયા માટે વરઘોડો શબ્દ પ્રચલિત બન્યો. વર્તમાનમાં પ્રભુની રથયાત્રા માટે પણ વરઘોડો શબ્દ પ્રચલિત બન્યો છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org