________________
શંકા-સમાધાન
૪૧૦
રોશની વગેરે પણ દીવાઓથી જ થવી જોઇએ. આ શક્ય ન બને તો અધિક પાવરવાળા બલ્બનો ઉપયોગ તો ન જ થવો જોઇએ. બંધ-ઉઘાડ થતી લાઇટો ન હોવી જોઇએ.
શંકા— ૯૧૪. જ્યારે કલ્પસૂત્ર શ્રાવકો સમક્ષ વંચાતુ ન હતું ત્યારે શ્રાવકો પર્યુષણપર્વની આરાધના કેવી રીતે કરતા હતા ?
સમાધાન– ત્યારે શ્રાવકો પર્યુષણના પાંચ કર્તવ્યો વગે૨ે આરાધના કરવાપૂર્વક પર્યુષણ પર્વની આરાધના કરતા હતા. વ્યાખ્યાનમાં પર્યુષણમાં પાંચ કર્તવ્યો વગેરેનું વ્યાખ્યાન ગુરુના મુખે સાંભળતા હતા એમ સંભવ છે.
શંકા ૯૧૫. સાધ્વીજી ભગવંતની નિશ્રામાં પર્યુષણપર્વમાં શ્રીકલ્પસૂત્રની પોથીનો(=પ્રતનો) વરઘોડો પર્યુષણના બીજા દિવસે કાઢીને ત્રીજા દિવસથી કલ્પસૂત્રનું વાંચન કરી શકાય ? શું સાધ્વીજી ભગવંતો બારસા સૂત્રનું વાંચન કરી શકે ?
સમાધાન– સાધ્વીજીઓ કલ્પસૂત્રનું કે બારસાસૂત્રનું વાંચન ન કરી શકે. પર્યુષણાના ત્રીજા દિવસથી કલ્પસૂત્રનું વાંચન ન કરી શકાય, ચોથા દિવસથી જ કરી શકાય.
શંકા- ૯૧૬. કલ્પસૂત્ર વાંચન માટે વસતિ શુદ્ધ જોઇએ. પરંતુ કોઇ સંઘના ઉપાશ્રયથી સો ડગલા આસપાસ માંસ-મટનની દુકાન હોય તો શુદ્ધિ કઇ રીતે ગણવી ? આવા ઉપાશ્રયમાં શાસ્ત્રનું વાંચન થઇ શકે ખરું ? અપવાદે પણ થઇ શકે ? જેમ ઉપાશ્રયની આસપાસ ઘરોમાં એમ.સી.વાળા બહેનો હોય તો ચલાવી લેવાય છે તે જ રીતે આમાં શું થઇ શકે ?
સમાધાન– કલ્પસૂત્ર વાંચન નિયત અનુષ્ઠાન હોવાથી જેમ સૂર્યગ્રહણ હોય તો પણ કલ્પસૂત્ર વાંચી શકાય છે, તેમ જે સ્થાનમાં સો ડગલાની આસપાસ વસતિ અશુદ્ધ હોય અને તેને દૂર કરી શકાય તેમ ન હોય તો કલ્પસૂત્ર વાંચન કરી શકાય. કલ્પસૂત્ર સિવાય બીજા આગમસૂત્રના વાંચનમાં આવા સ્થાનમાં અશક્ય પરિહાર હોવાથી ચલાવી લેવું પડે. જેમ ઉપાશ્રયની આસપાસના સો ડગલાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org