________________
શંકા-સમાધાન
૪૦૯ પ્રશ્નકારે જણાવેલા દોષની સંભાવના નથી. આમ છતાં પૂર્વે કહેલાં કારણોથી સપના બપોરે ઉતારવામાં આવે એ જ વધારે યોગ્ય છે. એમાં રાત્રિભોજન ન થાય, એની પૂરી તકેદારી રાખવી જ જોઇએ.
શંકા- ૯૧૩. પર્યુષણ પર્વ ત્યાગનું પર્વ છે. ત્યાગ માટેના પર્વ એવા પર્યુષણમાં મંડપ ડેકોરેશન પાછળ ખૂબ ખર્ચ કરવો તે યોગ્ય છે?
સમાધાન– ધર્મ કરનારા શ્રાવકો ભાવિત (ધર્મમાં દઢ થઈ ગયેલા) અને અભાવિત (ધર્મમાં દઢ ન થયેલા) એમ બે પ્રકારના હોય છે. તેમાં ભાવિત શ્રાવકો પર્યુષણ પર્વ આવે ત્યારે સ્વયમેવ તપ-ત્યાગ કરતા રહે છે પણ અભાવિત શ્રાવકો સ્વયમેવ તપ-ત્યાગ કરતા નથી, પરંતુ કંઈક આલંબન મળે-પ્રેરણા મળે તો કરે છે. ઘણા અભાવિત શ્રાવકોને તો પર્યુષણ ક્યારથી શરૂ થાય છે તેની પણ ખબર હોતી નથી પણ જ્યારે ડેકોરેશન વગેરે જુએ છે, તો ખબર પડે છે કે પર્યુષણ આવ્યા છે. પછી પર્યુષણની આરાધના કરનારા બને છે. પર્યુષણ મહાન પર્વ હોવાથી તેની ઉજવણી કરવી જોઇએ. ડેકોરેશન વગેરે પણ પર્યુષણની ઉજવણીનો એક પ્રકાર છે. આનાથી પર્યુષણ પર્વ પ્રત્યે બહુમાનભાવ વ્યક્ત કરવામાં આવે છે. આથી ડેકોરેશનમાં થતો ખર્ચ અયોગ્ય ન કહી શકાય.
આમ છતાં અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે લાઇટોનું ડેકોરેશન ન કરાય તો તે સર્વશ્રેષ્ઠ ! પણ કરવું જ પડે તો લાઈટો અતિશય તેજવાળી ન હોવી જોઇએ. બલ્બ વગેરે અધિક પાવરના ન હોવા જોઇએ. અધિક પાવરવાળા બલ્બ હોય તો પતંગિયા વગેરે જીવો તેજથી આકર્ષાઇને બલ્બ ઉપર પડે છે અને બળી જવાથી મૃત્યુ પામે છે. પર્યુષણ પર્વ સિવાય પણ મંદિર-ઉપાશ્રયમાં અધિક પાવરવાળા બલ્બ ન હોવા જોઇએ. ઘણા સ્થળે આ અંગે બેદરકારી સેવાતી હોય છે અને એથી ઘણા જીવોની હિંસા થતી હોય છે. પહેલા નંબરમાં તો મંદિર-ઉપાશ્રયમાં લાઇટો જ ન હોવી જોઇએ. જે ધર્મસ્થાનો અહિંસાનો ઉપદેશ આપી રહ્યા છે તે ધર્મસ્થાનોમાં આવા હિંસક સાધનોનો ઉપયોગ કરવો એ જરાય ઉચિત નથી.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org