SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ શંકા-સમાધાન વિપરીત જ્ઞાન અજ્ઞાન જ છે. જ્યારે મિથ્યાત્વનો ઉદય હોય છે ત્યારે વસ્તુનો યથાર્થ બોધ થતો જ નથી, વિપરીત જ બોધ થાય છે. આથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. માતુષ મુનિ અજ્ઞાન હોવા છતાં ગુરુ પ્રત્યેના સમર્પણભાવથી સંસારસાગરને તરી ગયા. આ વાક્યમાં અજ્ઞાન શબ્દ અલ્પજ્ઞાન એવા અર્થમાં છે. જડ પદાર્થ અજ્ઞાન હોય. આ વાક્યમાં અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. મિથ્યાત્વ અજ્ઞાનનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી મિથ્યાત્વને અજ્ઞાન પણ કહી શકાય. શાસ્ત્ર સંબંધી શંકા-સમાધાન શંકા- ૯૦૭. શાસ્ત્ર શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યા શી છે ? અને તેનો ભાવાર્થ શો છે ? સમાધાન– શાસ્ત્ર શબ્દમાં શાસ્ અને ત્ર એમ બે વિભાગ છે. તેમાં શાસ્ એટલે અનુશાસન કરવું. અનુશાસન ક૨વું એટલે યથાર્થ પ્રતિપાદન કરવું. ત્ર એટલે રક્ષણ કરવું. રાગ-દ્વેષથી ઉદ્ધત ચિત્તવાળા બનેલા જીવોને સધર્મનું યથાર્થ પ્રતિપાદન કરે અને (પ્રતિપાદન મુજબ વર્તનારા) જીવોનું રક્ષણ કરે તે શાસ્ત્ર. શાસ્ર શબ્દનો આવો શાસ્ત્રીય અર્થ છે. આવું શાસ્ત્ર સર્વજ્ઞ વચન જ છે. આ અર્થ પ્રશમરતિ ગ્રંથમાં ૧૮૬મી વગેરે ગાથાઓમાં અને જ્ઞાનસાર ગ્રંથના ૨૪મા અષ્ટકની ત્રીજી ગાથામાં જણાવ્યો છે. શાસ્ત્ર શબ્દની શાસ્ત્રીય વ્યાખ્યાનો ભાવ એ છે કે સર્વજ્ઞ સિવાય બીજાઓએ રચેલા શાસ્ત્રો વાસ્તવિક શાસ્ત્રો નથી. એ શાસ્ત્રો જીવોને સદ્ધર્મનું યથાર્થ પ્રતિપાદન કરી શકે નહિ અને એથી જીવોનું રક્ષણ કરી શકે નહિ. આથી જ સૂયગડાંગ સૂત્ર દ્વ.શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે, “જેઓ કેવળજ્ઞાન વડે લોકને જાણ્યા વિના જ ધર્મને કહે છે, અપારઘોર સંસાર સમુદ્રમાં ડૂબેલા તે પોતાને અને ૫૨ને ડૂબાડે છે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy