________________
શંકા-સમાધાન
૪૦૫
રકમનો ઉપયોગ કર્યો ન ગણાય. આથી ખુદ વિવેચનકાર પંડિત શ્રાવકે પણ પોતાના માટે પુસ્તક રાખવું હોય તો તેણે પણ પુસ્તકની છાપેલી કિંમત ચૂકવવી જોઇએ. સાધુએ કરેલા વિવેચનવાળા શાસ્ત્રીય ગ્રંથો જ્ઞાનખાતામાંથી છપાય તો તેમાં પણ ઉપર મુજબ લખાણ છપાવવું જરૂરી ગણાય.
શંકા- ૯૦૩. ગહુંલી પરના પૈસા ચોખા વગેરે જ્ઞાનખાતામાં લેવાય કે દેવદ્રવ્યમાં લેવાય ?
સમાધાન– જ્ઞાનભક્તિ માટે જ્ઞાનસમક્ષ કરેલી ગહુંલી પરના પૈસા વગેરે જ્ઞાનખાતામાં લેવાય. દેવસમક્ષ અને ગુરુસમક્ષ કરેલી ગહુંલી પરના પૈસા વગેરે દેવદ્રવ્યમાં જાય.
શંકા- ૯૦૪. સાધુભગવંતો દ્વારા સંપાદિત થયેલા પુસ્તકોનું વિમોચન કરવાનો ચઢાવો બોલાય ?
સમાધાન– બોલાય. પણ તે રકમ જ્ઞાનખાતામાં જમા થવી જોઇએ. શંકા- ૯૦૫. આજીવિકા માટે વ્યવહારિક શિક્ષણ આપવું પડે તો શું કરવું ?
સમાધાન– આજીવિકા માટે આધુનિક શિક્ષણ આપવું પડે તો આધુનિક શિક્ષણ લેનારમાં ધાર્મિક સંસ્કારો પડે અને ધાર્મિક સંસ્કારો જળવાઇ રહે એ માટે બાળક નાનું હોય ત્યારથી ધાર્મિક શિક્ષણ આપવું જરૂરી છે.
શંકા- ૯૦૬. અજ્ઞાન શબ્દનો શો અર્થ છે ?
સમાધાન– અજ્ઞાન શબ્દના વિપરીતજ્ઞાન, અલ્પજ્ઞાન, જ્ઞાનાભાવ, મિથ્યાત્વ વગેરે અનેક અર્થો છે. મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન અજ્ઞાન છે. આ વાક્યમાં અજ્ઞાન શબ્દનો જ્ઞાનનો અભાવ એવો અર્થ નથી, કિન્તુ વિપરીતજ્ઞાન અર્થ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જેનાથી વસ્તુનો યથાર્થ બોધ થાય તેને જ જ્ઞાન કહેવાય. આથી જેનાથી વિપરીત બોધ થાય તે બાહ્ય દૃષ્ટિએ જ્ઞાન હોવા છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ એ અજ્ઞાન જ છે. જ્ઞાનનું પ્રયોજન યથાર્થબોધ ક૨વો એ છે. વિપરીત જ્ઞાનથી એ પ્રયોજન સિદ્ધ થતું ન હોવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org