________________
૪૦૪
શંકા-સમાધાન
પૂર્ણ કિંમત ચૂકવીને જ કરી શકાય. ભણવા ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો ચૂકવીને જ કરવો જોઇએ.
શંકા- ૯૦૧. જૈનેતર પંડિતને જ્ઞાનદ્રવ્યમાંથી પગાર આપી શકાય અને જૈન પંડિતને ન આપી શકાય તેનું શું કારણ ?
સમાધાન– જ્ઞાનદ્રવ્ય પૂજાથી પ્રાપ્ત થયેલું અને સમર્પિત કરેલું એમ બે પ્રકારે છે. જ્ઞાનની બોલી, જ્ઞાન સમક્ષ મૂકેલ રકમ વગેરે જ્ઞાનદ્રવ્ય પૂજાથી પ્રાપ્ત થયેલું છે. કોઇ વ્યક્તિ જ્ઞાન માટે વા૫૨વા ધન આપે તે સમર્પિત કરેલું જ્ઞાનદ્રવ્ય છે. પૂજાથી પ્રાપ્ત થયેલું જ્ઞાનદ્રવ્ય શ્રાવકોથી ન વપરાય. સમર્પિત કરેલું જ્ઞાનદ્રવ્ય જૈનથી જ્ઞાન માટે વાપરી શકાય. માટે પૂજાથી પ્રાપ્ત થયેલું જ્ઞાનદ્રવ્ય જૈનપંડિતને પગાર તરીકે ન અપાય, પણ જૈનેતર પંડિતને અપાય. સમર્પિત કરેલું જ્ઞાનદ્રવ્ય જૈન પંડિતને પગાર તરીકે આપી શકાય. પૂજાથી પ્રાપ્ત થયેલા જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકોની માલિકી કિંમત ચૂકવ્યા વિના શ્રાવકોથી કરી શકાય નહિ.
શંકા- ૯૦૨. શ્રાવક પંડિતે શાસ્ત્રીય ગ્રંથો ઉપર વિવેચન લખ્યું હોય તો તે વિવેચન જ્ઞાનખાતાની આર્થિક સહાયથી પ્રકાશિત થઇ શકે ખરું ?
સમાધાન– થઇ શકે. પણ એ ગ્રંથમાં ગ્રંથના પહેલા કે બીજા પેજ ઉપર વાંચનારની દૃષ્ટિ પડે તે રીતે નીચે મુજબ છપાવવું જરૂરી છે. “આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી પ્રકાશિત થયેલું હોવાથી પૂ. સાધુ-સાધ્વીજી કે જ્ઞાનભંડાર સિવાય કોઇ પણ ગૃહસ્થે આ પુસ્તક વસાવવું હોય તો છાપેલી કિંમત ચૂકવીને જ વસાવવું તથા જ્ઞાનભંડારમાંથી વાચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ. જેથી કોઇ પણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય.”
અહીં મૂળ મુદ્દો એ છે કે ગૃહસ્થથી જ્ઞાનખાતાની ૨કમનો ઉપયોગ કરી શકાય નહિ. એથી ઉપર મુજબ લખાણ હોય તો શ્રાવક મૂલ્ય ચૂકવીને જ એ પુસ્તકો પોતાના માટે લે. જેથી તેણે જ્ઞાનખાતાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org