________________
૪૦૨
શંકા-સમાધાન શંકા- ૮૯૬. જીર્ણ થયેલા ધાર્મિક પુસ્તકો કઈ જગ્યાએ પાઠવવા જોઇએ ? આ માટેની કોઈ વિધિ છે ?
સમાધાન- જીર્ણ થયેલા, ફાટી ગયેલા પુસ્તકોના નાના નાના ટુકડા કરીને જ્યાં લોકોની અવરજવર ન થતી હોય, તેવા પર્વત કે ખીણ વગેરે સ્થાનમાં એ ટુકડા પરઠવી શકાય અથવા તો સૂકી નદીની રેતીમાં એ ટુકડા ખાડો કરીને પરઠવી શકાય. પછી એના ઉપર પાછી રેતી નાખી દેવી અથવા પાણી વગરના કોરા કૂવામાં પણ પરઠવી શકાય.
શંકા- ૮૯૭. જીર્ણ ધાર્મિક પુસ્તકો, પત્રિકાઓ, જ્ઞાન-દર્શનચારિત્રના ઉપકરણો અને તૂટેલી જિનમૂર્તિઓની આશાતના ન થાય તે રીતે પરઠવવાનો વિધિ શો છે ?
સમાધાન- ધાર્મિક પુસ્તકો, પત્રિકાઓ અને જ્ઞાન-દર્શનચારિત્રના ઉપકરણો વગેરેના નાના ટુકડા કરીને જ્યાં લોકોની અવરજવર ન થતી હોય ત્યાં પર્વતની બખોલ વગેરેમાં, પાણી વગરના ઊંડા કૂવા વગેરેમાં કે નદીની રેતી વગેરેમાં ખાડો ખોદીને તેમાં પરઠવી શકાય જેથી આશાતના ન લાગે. ખંડિત થયેલી દર્શનીય મૂર્તિ વગેરેને ઉપર પ્રમાણે પરઠવી શકાય પણ પૂર્વે અંજન થયેલી અને પાછળથી પૂજા ન થઈ શકે તેવી ખંડિત થયેલી મૂર્તિઓને વિધિકારની નિશ્રા લઈને તે કહે તેમ કરવું જોઈએ.
શંકા- ૮૯૮. ધાર્મિક પુસ્તકો વિના મૂલ્ય જ મેળવવાની વધી રહેલી વૃત્તિ-પ્રવૃત્તિથી સમ્યજ્ઞાન પ્રત્યેનો આદરભાવ ઘટવાની સંભાવના ખરી કે નહિ ?
સમાધાન- સંભાવના ખરી, પણ નિશ્ચયથી ન કહી શકાય. ધાર્મિક પુસ્તકો મેળવનારા ગૃહસ્થો આર્થિક દૃષ્ટિએ શ્રીમંત, મધ્યમ અને નબળા એમ ત્રણ પ્રકારના હોય. ત્રણ પ્રકારના ગૃહસ્થોની વૃત્તિ વિના મૂલ્ય પુસ્તકો મેળવવાની ન હોવી જોઇએ. પ્રભાવના વગેરે રીતે વિના મૂલ્ય પુસ્તક મળી જાય એ જુદી વાત છે, પણ વિના મૂલ્ય લેવાની વૃત્તિ ન હોવી જોઇએ. આર્થિક સ્થિતિએ નબળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org