SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૪૦૧ શંકા- ૮૯૪. પરમાત્માના સમવસરણમાં સાધ્વીજીઓ, વૈમાનિકદેવીઓ, મતાંતરે ચારે પ્રકારની દેવીઓ ઊભા ઊભા દેશના સાંભળે, પુરુષો-સ્ત્રીઓ બેઠા બેઠા સાંભળે એવો પાઠ લબ્ધિપ્રશ્નમાં લોકપ્રકાશના પાઠ સાથે આપેલ છે. તો પછી આપણે ત્યાં સ્ત્રીઓને ઊભા ઊભા સજઝાય કરવાનું શું કારણ ? સમાધાન– સાધ્વીજીઓ અને દેવીઓ ઊભા ઊભા દેશના સાંભળે એના અનુકરણરૂપે સ્ત્રીઓ ઊભા ઊભા સજઝાય કરે એવી આચરણા શરૂ થઈ હોય એમ સંભવે છે. શંકા- ૮૯૫. લોકો એમ કહે છે કે હમણાં પુસ્તકો ઘણાં છપાય છે. વાંચનારા ઓછા છે. તો એમાં સાચું શું? પુસ્તકો છપાવીને ફ્રીમાં આપીએ અને જોઇએ એવો ઉપયોગ ન થાય તો છપાવનારને દોષ લાગે ? સમાધાન– હમણાં પુસ્તકો ઘણાં છપાય છે અને વાંચનારા ઓછા છે એ વાત અપેક્ષાએ સાચી છે. આમ છતાં પૂર્વ મહાપુરુષોએ રચેલા પુસ્તકોનું અને ચતુર્વિધ સંઘને ઉપયોગી બને તેવા પુસ્તકોનું શ્રાવકોએ લાંબો કાળ ટકી શકે તેવા કાગળોમાં સૌ પ્રથમ તો હસ્તલેખન કરાવવું જોઇએ. પછી મુદ્રણ કરાવવું જોઈએ અને દરેક જ્ઞાનભંડારોમાં એ પુસ્તકો પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જેથી અભ્યાસ કરનારાઓને અને વાંચવાના રસવાળા જીવોને પુસ્તકો મળી શકે. પુસ્તકો ગમે તેને ન આપવા જોઇએ. કારણ કે જ્ઞાનરુચિ વિનાના જીવો મળેલા પુસ્તકોને રખડતાં મૂકી દે છે, અથવા દહેરાસરમાં કે ઉપાશ્રયમાં મૂકી જતા હોય છે. પુસ્તકો ફ્રી આપવામાં વાંધો નથી. પણ જેમને જ્ઞાનરુચિ હોય, વાંચવાનો રસ હોય તેવા જ જીવોને પુસ્તકો આપવા જોઇએ. જેવી રીતે ધર્મ યોગ્ય જીવને આપવો જોઈએ, તેમ પુસ્તક પણ યોગ્ય જીવને જ આપવું જોઇએ. જેવી રીતે અયોગ્યને ધર્મ આપવાથી ધર્મ આપનારને દોષ લાગે, તેમ અયોગ્યને પુસ્તક આપવાથી પણ આપનારને દોષ લાગે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy