SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ શંકા-સમાધાન સમાધાન- “વિરયાણું” એ ઉચ્ચાર સાચો છે. શંકા– ૮૯૧. વંદિતુ સૂત્રમાં વિરઓમિ વિરાણાએ કે વિરિઓમિ વિરાણાએ એ બે ઉચ્ચારમાં કયો ઉચ્ચાર સાચો છે? સમાધાન – વિરઓમિ વિરાણાએ એ ઉચ્ચાર સાચો છે. શંકા- ૮૯૨. જે પાઠશાળામાં સૂત્રો અશુદ્ધ ભણાવતા હોય અને આપણને ખ્યાલ આવી જાય તો ત્યાં અભ્યાસ કરવા જવાય? જઇએ તો શું કર્મબંધ થાય ? કયું કર્મ બંધાય ? કાર્યકર્તાઓને આ વાતની જાણ કરી હોય છતાં તેમાં સુધારો ન થાય તો તેઓને કર્મબંધ થાય? ભણાવનારને કર્મબંધ થાય ? સમાધાન– જેટલા અંશે સૂત્ર અશુદ્ધ ભણાવે તેટલા અંશે શિક્ષકને અને ભણનાર વિદ્યાર્થીને જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય પણ બધાને એકસરખો જ્ઞાનાવરણીય-કર્મબંધ થાય તેવો નિયમ નથી. કારણ કે તત્ત્વાર્થસૂત્રમાં જ્ઞાતભાવ-અજ્ઞાતભાવ વગેરે કારણો બતાવ્યા છે, એ સૂત્ર પ્રમાણે એમાં કહ્યા મુજબ પરિણામ પ્રમાણે કર્મબંધ થાય. કાર્યકર્તાઓએ આ અંગે યોગ્ય કરવું જોઇએ, એ ઉપેક્ષા ભાવ કરે તો તેમને પણ તેટલા અંશે જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય. શંકા- ૮૯૩. પૂર્વકાળમાં શ્રાવકો ગાય-ભેંસ વગેરે પશુઓ રાખતા. વર્તમાનકાળમાં પશુઓનું સ્થાન યાંત્રિક વાહનો આદિએ લીધું છે. પૂર્વકાળની અપેક્ષાએ વર્તમાન કાલીન જીવન પદ્ધતિ સર્વ પ્રકારે બદલાઈ ગઈ છે. તો પૂર્વકાલીન ૧૨ વ્રતધારી શ્રાવકોની જીવનપદ્ધતિ અનુસાર રચાયેલા અતિચારને વર્તમાનકાલીન શ્રાવકોની જીવનપદ્ધતિ અનુસાર ફેરવીને એની નવી રચના કરવી યોગ્ય છે કે નહિ ? સમાધાન– જરાય યોગ્ય નથી. જગત પરિવર્તનશીલ છે એમ તીર્થકરોએ જ કહ્યું છે. જો અતિચારને બદલવામાં આવે તો “વંદિત્ત” સૂત્રને પણ બદલવાનો પ્રશ્ન આવીને ઉભો રહે. અતિચાર બદલવાના બદલે વર્તમાનમાં શ્રાવકો અનાર્ય સંસ્કૃતિનું જે જીવન જીવી રહ્યા છે તેને બદલીને આર્ય સંસ્કૃતિનું-જૈન સંસ્કૃતિનું જીવન જીવે તેવું કરવા જેવું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy