SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૯૯ સમર્થ બને છે ત્યારે તેનામાં શાસ્ત્રયોગ આવે છે. અપ્રમત્ત મુનિને જ શાસ્ત્રયોગ હોય છે. સામર્થ્યયોગ- આંતરિક સામર્થ્યની પ્રધાનતાવાળો યોગ તે સામર્થ્યયોગ, વિશિષ્ટ અધ્યવસાયમાં ચઢવા માટે જે ઉપાયોના વિશેષરૂપે સ્પષ્ટ અને વિસ્તૃત વર્ણન શાસ્ત્ર ન કર્યું હોય એવા ઉપાયો આત્માના આંતરિક સામર્થ્યથી પ્રાપ્ત થાય તે સામર્થ્યયોગ. આવો સામર્થ્યયોગ ક્ષપકશ્રેણિમાં હોય છે. આથી સામર્થ્યયોગની પ્રાપ્તિ થતાં જીવ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામે છે. જીવને પહેલાં ઇચ્છાયોગ હોય છે. પછી શાસ્ત્રયોગ આવે છે. પછી સામર્થ્યયોગ આવે છે. અહીં “અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ' એમ કહીને ઇચ્છાયોગનો નમસ્કાર કર્યો છે. આટલા વિવેચનથી “હું અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું અને “અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ' આ બે અર્થમાં રહેલો ભેદ સ્પષ્ટ સમજી શકાય છે. શંકા- ૮૮૮. નમુત્થણે સૂત્રમાં છેલ્લી ગાથામાં બીજા શબ્દની સાથે નહિ જોડાએલા છુટા “અ” કેટલા આવે છે ? સમાધાન- “જે આ અઈઆસિદ્ધા” જે અ ભવિસંતિસાગએ કાલે અને “સંપ અ વટ્ટમાણા” એમ છૂટા આ ત્રણ આવે છે. કોઈ કોઈ શ્રાવકો કે સાધુઓ પણ એક અથવા બે છૂટા “અ” બોલતા હોય છે પણ ત્રણે છૂટા “અ” બોલનારા અલ્પ જોવામાં આવે છે, માટે અહીં ઉપયોગ રાખીને ત્રણે છૂટા “અ” બોલવાની કાળજી રાખવી જોઇએ. શંકા- ૮૮૯. અરિહંત ચેઈઆણે સૂત્રમાં “ધી એ” અને “ધિઇએ” એ બે પ્રકારના ઉચ્ચારમાં કયો ઉચ્ચાર સાચો છે ? સમાધાન– “ધિઈએ” એવો ઉચ્ચાર સાચો છે. પણ કોઈ કોઈ શ્રાવકો અને સાધુઓ પણ અહીં ધીએ એવો ઉચ્ચાર કરતા હોય છે. માટે ઉપયોગ રાખીને “ધિઈએ” એવો ઉચ્ચાર કરવો જોઇએ શંકા- ૮૯૦. જાવંત કેવિ સાહૂ સૂત્રમાં વિરિયાણ કે વિરયાણ એ બે ઉચ્ચારમાં કયો ઉચ્ચાર સાચો છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy