________________
૩૯૮
શંકા-સમાધાન
ભાવનમસ્કારની પ્રાપ્તિ માટે દિલથી પ્રાર્થના કરવાપૂર્વક દ્રવ્યનમસ્કાર કરતા રહેવાથી સમય જતાં ભાવનમસ્કારની પ્રાપ્તિ થાય.
અહીં એ પ્રશ્ન થઈ શકે કે ગણધર ભગવંતો વગેરે ઉચ્ચ સાધકો પણ આ સૂત્ર બોલે છે તો શું એમનો નમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે? ના. એમનો નમસ્કાર દ્રવ્ય નથી. કિંતુ ભાવનમસ્કાર છે. પણ ભાવ નમસ્કારની ચઢતી-ઉતરતી અનેક કક્ષાઓ છે. એથી ભાવથી નમસ્કાર કરનારાઓ પણ નમસ્કાર થાઓ” એમ બોલીને ચઢતી કક્ષાના ભાવનમસ્કારની માંગણી કરે છે. ભાવનમસ્કારની પરાકાષ્ઠા (જેનાથી અધિક ચઢિયાતો ભાવનમસ્કાર ન હોય તેવી સર્વોચ્ચ અવસ્થા) વીતરાગ ભગવંતોમાં હોય છે. વીતરાગ ભગવંતો આ પ્રાર્થના કરતા નથી. આમ નમુત્થણે અરિહંતાણં ભગવંતાણે એ પદોનો અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ એવો અર્થ જ યોગ્ય છે. નમસ્કાર મહામંત્રમાં પણ નમો અરિહંતાણું વગેરે પદોનો અરિહંતોને નમસ્કાર થાઓ ઈત્યાદિ અર્થ છે, નમસ્કાર કરું છું એવો અર્થ નથી. આ અર્થને બીજી રીતે પણ વિચારી શકાય તે આ પ્રમાણે- યોગના ગ્રંથોમાં ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ પ્રકારના યોગ( ધર્મસાધના) બતાવેલ છે. આ ત્રણનો સંક્ષેપમાં અર્થ આ પ્રમાણે છે
ઇચ્છાયોગ– ઇચ્છાની પ્રધાનતાવાળો યોગ તે ઇચ્છાયોગ. શાની ઈચ્છા ? શાસ્ત્રયોગની ઇચ્છા, અથતુ શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક યોગ(=ધર્મસાધના) કરવાની શક્તિ આવે એવી ઇચ્છા. ઇચ્છાયોગમાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ધર્મસાધના થતી નથી, ખામીવાળી થાય છે. ખામીવાળી ધર્મસાધનામાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરવાની ઇચ્છા હોવાથી ખામીવાળી ધર્મસાધનાને(=યોગને) ઇચ્છાયોગ કહેવામાં આવે છે. ઇચ્છાયોગવાળા અનુષ્ઠાનો કરતાં કરતાં શાસ્ત્રયોગની( શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ધર્મસાધનાની) પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રયોગ શાસ્ત્રની પ્રધાનતાવાળો યોગ(sધર્મસાધના) તે શાસ્ત્રયોગ. સાધક જ્યારે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ ધર્મસાધના કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org