________________
૩૯૬
શંકા-સમાધાન સમાધાન- આલોચના પૂર્ણ થઈ એના હર્ષમાં દેવ-ગુરુને વંદન કરવા માટે આ બે ગાથાઓ છે.
શંકા- ૮૮૨. આચારાંગના ૧૮ હજાર પદ . તેના શ્લોકો કેટલા થાય ?
સમાધાન– એક પદના ૧૬,૩૪,૮૩,૦૭, ૮૭૨ અક્ષર થાય, ૩૨ અક્ષરનો એક શ્લોક થાય. આ હિસાબથી એક પદના ૫૧,૦૮,૮૪,૬૨૧ શ્લોક થાય. આથી આચારાંગ ૧૮ હજાર પદના કુલ શ્લોક ૯૧,૯૫,૯૨,૩૧,૭૮,૦૦૦ થાય. (રત્નસંચય પ્રકરણ).
શંકા- ૮૮૩. સજઝાય સંદિસાહું ? ઉપધિ સંદિસાહું ? અહીં સંદિસાહુ પદનો શો અર્થ છે ?
સમાધાન- સંદિસાહુનો સંસ્કૃતમાં સયામિ=માયામિ એવો અર્થ છે, અર્થાત્ સજઝાય કરવાનો આદેશ માંગું ? ઉપધિની પડિલેહણા કરવાનો આદેશ માગું ? એમ પૂછવામાં આવે છે. આનાથી એ સમજી શકાય છે કે જૈનશાસનમાં કેવો અદ્ભુત વિનય બતાવવામાં આવ્યો છે કે જેથી સજઝાય કરવા વગેરેના આદેશ માગવા માટે પણ પૂછવાનું. ગુરુ, હા કહે તો આદેશ માગવાનો. સજઝાય સંદિસાહું ? એમ કહીને શિષ્ય ગુરુની પાસે સજઝાય( સ્વાધ્યાય) કરવાનો આદેશ માગવા માટે રજા માગે છે. પછી ગુરુ સંવિસાવેઢ કહીને સજઝાય કરવા માટે આદેશ માગવાની રજા આપે છે. આથી પછી શિષ્ય ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સજઝાય કરું ? હે ભગવંત ! હું સજઝાય કરું ? એમ સજઝાય કરવાનો આદેશ આજ્ઞા) માગે છે. પછી ગુરુ રે એમ કહીને સઝાય કરવાનો આદેશ આપે છે.
શંકા- ૮૮૪. જ્ઞાનપંચમીના દેવવંદનમાં સ્તવનમાં પરા, પશ્યતી, મધ્યમ અને વૈખરી વાણી જણાવી છે. તેનો શો અર્થ છે?
સમાધાન- તેવો અભ્યાસ થઈ જવાથી નાભિમાંથી થતો જાપ તે પરા વાણી છે. હોઠને ફફડાવ્યા વિના મનમાં થતો જાપ તે પશ્યતી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org