________________
શંકા-સમાધાન
૩૯૫ શંકા- ૮૭૮. મોટી શાંતિમાં “ષોડશ વિદ્યાદેવ્યો” એમ ૧૬ વિદ્યાદેવીઓ જણાવી છે. જ્યારે ગણતરી કરતાં મોટી શાંતિના પાઠ મુજબ ૧૭ વિદ્યાદેવીઓ થાય છે. તો તેનો મેળ કેવી રીતે બેસાડવો?
સમાધાન- મોટી શાંતિનો વિદ્યાદેવી સંબંધી પાઠ વર્તમાનમાં મુદ્રિત મોટાભાગના પુસ્તકોમાં અશુદ્ધ છપાયો છે. વર્તમાનમાં સવસ્ત્રા મહાજવાલા” એવો પાઠ છપાયો છે. એથી સવસ્ત્રો અને મહાજવાલા એ બે દેવીઓ અલગ ગણવાથી ૧૭ વિદ્યાદેવીઓ થાય છે. પણ અહીં “સર્જાસ્ત્રમહાજવાલા” એવો પાઠ શુદ્ધ છે. સર્વાત્રમહાજવાલા એક જ દેવીનું નામ છે. આથી ૧૬ વિદ્યાદેવીઓ થાય છે. સર્વોચ્ચમહાજવાલા શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે- જેના સર્વ અસ્ત્રોમાંથી મોટી જવાલાઓ નીકળે છે તે સર્વસ્ત્રમહાજવાલા.
શંકા- ૮૭૯. સતીઓના છંદમાં ૧૬ સતીઓના નામો છે તથા ૧૬ સતીઓની સજઝાયમાં પણ ૧૬ નામો છે. પણ ગણતરી કરતાં ૧૭ થાય છે. તો આનો મેળ કેવી રીતે બેસાડવો ?
સમાધાન- ૧૭ની ગણતરી કરનારાઓ ૧૭ની સંખ્યામાં શીલવતી સતી અલગ ગણે છે, પણ તેમ નથી. શીલવતી સતીનું નામ નથી, કિંતુ શીલવતી એટલે શીલવાળી એવો અર્થ છે.
શંકા- ૮૮૦. હમણાં હમણાં ટ્રેનોમાં, બસોમાં, યાત્રા પ્રવાસમાં ભક્તામર સ્તોત્ર બોલાય છે તે કેટલું યોગ્ય છે ?
સમાધાન- યાત્રિકો આદરપૂર્વક બેસીને સાંભળતા હોય તો ભક્તામર સ્તોત્ર બોલાય તે યોગ્ય છે. જો યાત્રિકો સૂતા-સૂતા સાંભળતાં હોય, ગમે તેમ અનાદરભાવથી બેઠા બેઠા સાંભળતા હોય, ઈત્યાદિ અવસ્થામાં ભક્તામર સ્તોત્ર બોલાય તે યોગ્ય નથી અને ઈહલૌકિક કોઈ આશંસાપૂર્વક બોલાય એ પણ યોગ્ય નથી.
શંકા- ૮૮૧. વંદિતુ સૂત્ર આલોચના સૂત્ર છે. તો તેમાં “જાવંતિ ચેઇઆઇ” અને “જાવંત કેવિ સાહૂ’ એ બે વંદનની ગાથાઓ શા માટે છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org