________________
૩૯૪
શંકા-સમાધાન
સમાધાન આજે શ્રાવકો જેને અતિચારની આઠ ગાથાઓ કહે છે તે ખરેખર તો અતિચારની નથી, કિંતુ આચારની છે. એ આઠ ગાથાઓમાં જ્ઞાનાદિ પાંચના આચારોનું વર્ણન છે. એ આચારોનું પાલન ન કરવામાં આવે તો અતિચાર લાગે. આથી દર્શનાચારના આઠ આચારો છે તથા સમ્યક્ત્વના પાંચ અતિચારો છે. આ રીતે આચાર અને અતિચારમાં ભેદ છે. દર્શનાચારના આઠ અતિચારોનું પાલન ન કરવાથી આઠ અતિચાર લાગે. સમ્યક્ત્વના પાંચ અતિચારો સંક્ષેપથી છે અને આઠ અતિચારો વિસ્તારથી છે. શંકા- ૮૭૬. રત્નાકર પચીસીમાં એક લીટી છે– “નહીં ચિંતવ્ય મેં નરક-કારાગૃહ સમી છે નારીઓ.”
આ અનુચિત ગણાય શું ? કારણ કે નારીમાત્રમાં દેવીઓ, સતીઓ, તીર્થકરોની માતાઓ પણ આવી જાય. તે નર્ક-કારાગૃહ સમાન હોતી નથી.
સમાધાન “નહીં ચિંતનું મેં નરક-કારાગૃહ સમી છે નારીઓ” એ કથન સંભાવનાની અપેક્ષાએ સામાન્યથી છે. એથી બધી જ સ્ત્રીઓ માટે એ નથી લાગુ પડતું. શાસ્ત્રકારોએ ધનને શોકનું અને કલહનું કારણ કહ્યું છે. પણ બધાનું ધન શોકનું અને કલહનું કારણ બનતું નથી. આમ છતાં ધનમાં શોકનું અને કલહનું કારણ બનવાની સંભાવના હોવાથી ધનને શોકનું અને કલહનું કારણ કહ્યું છે. તે જ રીતે સ્ત્રી નરકમાં કે કારાગૃહમાં જવું પડે તેવા પાપનું કારણ બને તેવી સંભાવના હોવાથી “નહીં ચિંતવ્યું મેં નરક-કારાગૃહ સમી છે નારીઓ” એમ કહેવામાં અનુચિત જેવું જરા ય નથી. શંકા- ૮૭૭. અજાણતાં ઉસૂત્ર બોલાઈ ગયું હોય તો દોષ લાગે?
સમાધાન– અજાણતાં પણ ઉત્સુત્ર બોલાઈ ગયું હોય તો પણ દોષ લાગે જ. શું અજાણતાં કોઈ ઝેર ખાઈ જાય તો તેની અસર ન થાય ? થાય જ. આથી જ “પડિસિદ્ધાણં કરણે” એ વંદિતુ સૂત્રની ૪૮મી ગાથામાં અજાણતાં પણ વિપરીત પ્રરૂપણા થઈ ગઈ હોય તો તેનું પ્રતિક્રમણ કરવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org