________________
શંકા-સમાધાન
૩૯૩
શંકા- ૮૭૧. પંચસૂત્રના રચયિતા ચિરંતન આચાર્ય ક્યારે થયા? તેમણે બીજા કયા ગ્રંથો રચ્યા છે ? તેમના ગુરુ કોણ હતા ?
સમાધાન- પંચસૂત્રના રચયિતા ચિરંતન આચાર્ય ક્યારે થયા, ઇત્યાદિ જાણવામાં આવ્યું નથી.
શંકા- ૮૭૨. ગુજરાતી અતિચાર કોણે બનાવ્યા અને ક્યારથી બોલવાની શરૂઆત થઈ ?
સમાધાન- સેનપ્રશ્ન ગ્રંથમાં પકુખી પ્રતિક્રમણમાં શ્રાવકો તપાચાર વગેરેના અતિચારો બોલે છે, તે સાધુઓ સાંભળે છે. તો કેવળ સાધુઓ પ્રતિક્રમણ કરે ત્યારે એ અતિચારો બોલે કે નહિ ? (પ્ર.૬૮૦) એવો પ્રશ્ન પૂછ્યો છે. આથી સેનસૂરિ મ.ની પહેલાં અતિચારો બોલવાની શરૂઆત થઈ ગઈ હતી. સેનસૂરિ મ. વિ.સં. પ્રમાણે ૧૭મી સદીમાં થઈ ગયા. આથી ગુજરાતી અતિચારની રચના ૧૭મી સદીથી પહેલાં થયેલી છે એ નક્કી થાય છે અતિચારની રચના કોણે કરી તેનો ઉલ્લેખ જોવામાં આવતો નથી.
શંકા- ૮૭૩. ૩૫ લયં યાન્તિ, છિદ્યત્તે વિખવક્રય: આ સ્થળે ઉપસર્ગ અને વિપ્નમાં શો ભેદ છે ?
સમાધાન– જીવોને જીવનમાં રોગ, ધનહાનિ, પરાભવ વગેરે ઉપદ્રવો-તકલીફો થાય એ ઉપસર્ગ છે. કોઈ પણ કામ શરૂ કર્યા પછી એ કામ પૂર્ણ થવામાં અંતરાય કે મુશ્કેલીઓ ઊભી થાય તે વિપ્ન છે.
શંકા- ૮૭૪. ઉવસગ્ગહર સૂત્રમાં ઉવસગ્ગહરે એ પદમાં આવતા ઉપસર્ગ શબ્દથી શું સમજવું ?
સમાધાન- અહીં ઉપસર્ગ એટલે જીવનમાં આવતી રોગ, ધનહાનિ, પરાભવ વગેરે તકલીફો. શ્રી પાર્શ્વનાથ ભગવાન આ તકલીફોને દૂર કરનારા છે.
શંકા- ૮૭૫. અતિચારની આઠ ગાથામાં દર્શનાચારના આઠ અતિચારો બતાવેલ છે. જ્યારે સમકિતના અતિચારમાં પાંચ અતિચાર બતાવેલ છે. તો આ બંનેમાં શો ભેદ છે ? તથા સંખ્યામાં ફેર કેમ છે ? સ્પષ્ટતા કરવા વિનંતી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org