________________
૩૯૦
શંકા-સમાધાન સમાધાન– “સંસારદાવા સ્તુતિના રચયિતા આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા છે. તેઓશ્રી કયા કાળે થઈ ગયા એ વિષે બે મત છે. એક મત પ્રમાણે તેઓ વિ.સં. ૧૮પમાં સ્વર્ગવાસી બન્યા. બીજા મત પ્રમાણે તેઓ વિ.સં. ૭૮પમાં સ્વર્ગવાસી બન્યા. આમ તેઓ વિક્રમની છઠ્ઠી કે આઠમી સદીમાં થઈ ગયા. સંસારદાવા' સ્તુતિની રચના અંગે શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકામાં આ પ્રમાણે જણાવ્યું છે. “સંભળાય છે કે તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમાં ૧૪૪૦ ગ્રંથો રચાઈ ગયા હતા, પણ ચાર ગ્રંથો બાકી રહ્યા હતા. તે વખતે તેમણે ચાર ગ્રંથના સ્થાને સંસારદાવાનલ” શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી. તેમાં ચોથી શ્રુતદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું કે તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ. તેથી ત્રણ ચરણરૂપ બાકીની સ્તુતિ તેમનાં હૃદયના અભિપ્રાય મુજબ સંઘે પૂરી કરી. ત્યારથી “ઝંકારારાવ” શબ્દોથી માંડીને બાકીની સ્તુતિ સંઘ દ્વારા ઉચ્ચ સ્વરે બોલાય છે.”
પંડિતપ્રવર શ્રી વીરવિજયજી મહારાજે સ્વકૃત પ્રશ્નોત્તર ચિંતામણિમાં નીચે પ્રમાણે જણાવ્યું છે
ઝંકારારાવસારા ઈત્યાદિથી દેહિ મે દેવિ સાર” સુધીનો પાઠ પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરીના પ્રતિક્રમણોને વિષે સર્વ શિષ્યો વગેરેએ ઊંચે સ્વરે બોલવો જોઈએ એમ પરંપરાથી દેખાય છે અને સંભળાય છે. તેનું રહસ્ય એ છે કે સાધુ આદિને ઉપદ્રવ કરીશ એવી બુદ્ધિથી પ્રથમ વસતિમાં કદાચ કોઈ મિથ્યાદષ્ટિ વ્યંતરદેવ રહેલ હોય, આ અવસરે “ઝંકારારાવસારા' ઇત્યાદિ મહાપુરુષ પ્રણીત અક્ષરાનુયોગને ઊંચા સ્વરે શ્રાવકો બોલે તે સાંભળી અકસ્માત્ ભયબ્રાંત થઈને તે વ્યંતરદેવ તે સ્થાનથી જલદીથી નાસીને બીજે સ્થાને ચાલ્યો જાય, તે હેતુથી પૂર્વોક્ત રીતે ઊંચા સ્વરે બોલવું એમ વૃદ્ધ પુરુષો કહે છે. અમારા ગુરુમહારાજ પાસેથી આ પ્રમાણે જેમ મેં સાંભળ્યું છે તેમ કહું છું. “ઝંકારારાવસારા” આ સ્થળે
Jain Educationa International
For Personal and Private Use Only
WWW.jainelibrary.org