________________
૩૮૮
શંકા-સમાધાન પડિલેહણ કરાવવાથી વધારે શુદ્ધિથી પડિલેહણ થાય એવા આશયથી કરાવે તો દોષ ન લાગે.
સૂત્ર સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૬૩. સૂત્ર કોને કહેવાય ?
સમાધાન- ગણધર પ્રણીત, પ્રત્યેક બુદ્ધ રચિત, ચૌદ પૂર્વધર રચિત અને સંપૂર્ણ દશ પૂર્વધરે રચેલું શાસ્ત્ર તે સૂત્ર કહેવાય છે. આજે તત્ત્વાર્થ સૂત્ર અને ઉપદેશમાળા વગેરે સૂત્રો પણ કાળવેળાએ ન ભણવાની આચરણા છે.
શંકા-૮૬૪. અજિતશાંતિની રચના કયા નંદિષેણ મુનિએ કરી છે? સમાધાન- વિક્રમની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન શ્રીધર્મઘોષસૂરિએ રચેલા શત્રુજય કલ્પમાં કહ્યું છે કે- “શ્રીનેમિનાથ પ્રભુના વચનથી યાત્રાએ ગયેલા શ્રીનંદિષેણ ગણધરે જ્યાં અજિતશાંતિ સ્તવની રચના કરી, તે પુંડરીક તીર્થ જય પામો.
શ્રીધર્મઘોષસૂરિજી પછી થોડા જ સમયમાં થયેલા અને વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન શ્રી જિનપ્રભસૂરિજીએ અજિતશાંતિ સ્તવ ઉપર બોધદીપિકા નામની ટીકા રચી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે “અહીં નંદિષેણ તે શ્રેણિકપુત્ર નંદિષેણ કે શ્રી નેમિનાથના ગણધર નંદિષેણ અથવા બીજા કોઈ નંદિષેણ મહર્ષિ તે બરાબર જાણી શકાતું નથી. કેટલાક તો કહે છે કે શ્રી શત્રુંજય પર્વતની ગુફામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાન ચોમાસુ રહ્યા હતા. ત્યાં તે બંનેના પૂર્વાભિમુખ ચૈત્યો થયા. તેમાં “અનુપમ સરોવરની નજીક શ્રી અજિતનાથનું ચૈત્ય હતું અને મરુદેવીમાતાના સ્થાનની નજીક શ્રી શાંતિનાથનું ચૈત્ય હતું. શ્રીનેમિનાથ ભગવાનના વચનથી તીર્થયાત્રાએ આવેલા શ્રી નંદિપેણ નામના ગણધરે ત્યાં અજિતશાંતિ સ્તવની રચના કરી.”
જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત થયેલ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રો ઉપર લખાયેલ પ્રબોધટીકાના આધારે તો શ્રી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org