SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૮૭ વિશેષ– ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી આપણા મસ્તકથી વધારે ઊંચા ન હોવા જોઈએ, ક્યારેક મસ્તકથી વધારે ઉંચા હોય અને ક્રિયા કરવી પડે, તો તે કારણિક સમજવું. નીચેના ભાગમાં આપણા પગથી નીચેના ભાગમાં સ્થાપનાચાર્યજી ન હોવા જોઇએ. શંકા- ૮૫૯. સ્થાપનાચાર્યજી ઉપર, નીચે અને તિર્છા કેટલા દૂર રાખી શકાય ? સમાધાન- સ્થાપનાચાર્યજી ઉપર મસ્તક સુધી, નીચે પગના તળિયા સુધી અને તિચ્છ નજરમાં આવે તેટલા દૂર રાખી શકાય. ઉપર મસ્તકથી ઉપર, નીચે પગથી નીચે અને તિચ્છ દેખાય નહિ તેટલા દૂર ન રાખી શકાય. શંકા- ૮૬૦. કાઉસ્સગ્નમાં કે વાંદણામાં સ્થાપનાજી હલી જાય તો તે ક્રિયા શુદ્ધ ગણાય કે નહિ ? સમાધાન– કોઈપણ ક્રિયામાં સ્થાપનાચાર્ય હલી જાય તો ક્રિયા શુદ્ધ ના થાય એવો એકાંત માનવો જરૂરી નથી. વર્તમાનમાં કાયોત્સર્ગમાં સ્થાપનાચાર્યજી હલી જાય તો કાયોત્સર્ગ ફરીથી કરવાની આચરણા છે. શંકા- ૮૬૧. બહેનોએ પડિલેહણ કર્યું હોય તે સ્થાપનાચાર્યની સમક્ષ પુરુષો સામાયિક લેવા-પારવાની અને પ્રતિક્રમણાદિની ક્રિયા કરી શકે ? સમાધાન–ન કરી શકે. જો પુરુષો ફરી પડિલેહણ કરી લે તો કરી શકે. શંકા- ૮૬૨. શ્રાવકો વિધિ-વિધાન કરેલા સ્થાપનાચાર્યજી રાખે, એનો ઉપયોગ રોજ એમને પોતાને જ કરવાનો હોય એવા (સ્થાપનાચાર્યજી) ભગવાનનું પડિલેહણ શ્રાવકો ગુરુ મહારાજ પાસે કરાવી શકે ? દોષ ન લાગે ? સમાધાન- પોતાનો સમય બચાવવાના આશયથી કે પોતાને ન કરવું પડે એવા આશયથી શ્રાવક ગુરુની પાસે પોતાના સ્થાપનાચાર્યનું પડિલેહણ કરાવે તો દોષ લાગે પણ ગુરુની પાસે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy