________________
શંકા-સમાધાન
૩૮૭ વિશેષ– ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યજી આપણા મસ્તકથી વધારે ઊંચા ન હોવા જોઈએ, ક્યારેક મસ્તકથી વધારે ઉંચા હોય અને ક્રિયા કરવી પડે, તો તે કારણિક સમજવું. નીચેના ભાગમાં આપણા પગથી નીચેના ભાગમાં સ્થાપનાચાર્યજી ન હોવા જોઇએ.
શંકા- ૮૫૯. સ્થાપનાચાર્યજી ઉપર, નીચે અને તિર્છા કેટલા દૂર રાખી શકાય ?
સમાધાન- સ્થાપનાચાર્યજી ઉપર મસ્તક સુધી, નીચે પગના તળિયા સુધી અને તિચ્છ નજરમાં આવે તેટલા દૂર રાખી શકાય. ઉપર મસ્તકથી ઉપર, નીચે પગથી નીચે અને તિચ્છ દેખાય નહિ તેટલા દૂર ન રાખી શકાય.
શંકા- ૮૬૦. કાઉસ્સગ્નમાં કે વાંદણામાં સ્થાપનાજી હલી જાય તો તે ક્રિયા શુદ્ધ ગણાય કે નહિ ?
સમાધાન– કોઈપણ ક્રિયામાં સ્થાપનાચાર્ય હલી જાય તો ક્રિયા શુદ્ધ ના થાય એવો એકાંત માનવો જરૂરી નથી. વર્તમાનમાં કાયોત્સર્ગમાં સ્થાપનાચાર્યજી હલી જાય તો કાયોત્સર્ગ ફરીથી કરવાની આચરણા છે.
શંકા- ૮૬૧. બહેનોએ પડિલેહણ કર્યું હોય તે સ્થાપનાચાર્યની સમક્ષ પુરુષો સામાયિક લેવા-પારવાની અને પ્રતિક્રમણાદિની ક્રિયા કરી શકે ?
સમાધાન–ન કરી શકે. જો પુરુષો ફરી પડિલેહણ કરી લે તો કરી શકે. શંકા- ૮૬૨. શ્રાવકો વિધિ-વિધાન કરેલા સ્થાપનાચાર્યજી રાખે, એનો ઉપયોગ રોજ એમને પોતાને જ કરવાનો હોય એવા (સ્થાપનાચાર્યજી) ભગવાનનું પડિલેહણ શ્રાવકો ગુરુ મહારાજ પાસે કરાવી શકે ? દોષ ન લાગે ?
સમાધાન- પોતાનો સમય બચાવવાના આશયથી કે પોતાને ન કરવું પડે એવા આશયથી શ્રાવક ગુરુની પાસે પોતાના સ્થાપનાચાર્યનું પડિલેહણ કરાવે તો દોષ લાગે પણ ગુરુની પાસે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org