________________
શંકા-સમાધાન
ભગવાનની અને ગણધરની મૂર્તિ બનાવીને સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગમાં લે છે. આ શાસ્ત્રસંમત છે કે ગચ્છભેદના કારણે છે? સમાધાન– અનુયોગદ્વાર નિર્દિષ્ટ સ્થાપના પ્રકારોમાંથી કેટલાક પ્રકા૨ો નીચે મુજબ છે :
(૧) ચંદન વગેરે ઉત્તમ કાષ્ઠને કોતરીને ગુરુની મૂર્તિ બનાવવી. (૨) (ભીંત વગેરેમાં) ચિત્ર બનાવીને ગુરુની સ્થાપના કરવી. (૩) વસ્ત્રનું ગુરુના આકારનું પૂતળું બનાવવું. (૪) પુંઠા વગેરેમાં ગુરુની આકૃતિ દોરવી.
(૫) તાડપત્ર વગેરેને કાપીને ગુરુની મૂર્તિ બનાવવી.
(૬) માટીની ગુરુની મૂર્તિ બનાવવી.
(૭) પિત્તળ આદિ ધાતુની ગુરુમૂર્તિ બનાવવી. (૮) હાથીદાંત વગેરેની ગુરુમૂર્તિ બનાવવી. (૯) અક્ષમાં ગુરુની સ્થાપના કરવી. (૧૦)કોડામાં ગુરુની સ્થાપના કરવી.
આમ અનેક રીતે ગુરુની સ્થાપના કરી શકાય છે. આવી કોઇ પણ ગુરુસ્થાપના શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠિત હોય તો શાસ્ત્રીય છે. શંકા- ૮૫૭. રાઇમુહપત્તિ કરતી વખતે સ્થાપનાચાર્ય રાખવાની જરૂર ખરી ?
૩૮૬
સમાધાન– જો આચાર્યની સમક્ષ રાઇમુહપત્તિ કરવાની હોય તો સ્થાપનાચાર્યની જરૂર ન ગણાય. પણ આચાર્ય સિવાય બીજા સાધુ (પદસ્થ કે અપદસ્થ કોઇપણ સાધુ) પાસે રાઇમુહપત્તિ કરવાની હોય તો સ્થાપનાચાર્ય રાખવાની જરૂર છે. કારણ કે વાંદણા વગેરે આચાર્યની સમક્ષ કરવાનું છે. આચાર્યના અભાવમાં સ્થાપનાચાર્યની સમક્ષ કરવાનું છે.
શંકા— ૮૫૮. સ્થાપનાચાર્યજી કેટલા દૂર હોય તો ક્રિયા થઇ શકે ? સમાધાન– સામાન્યથી તો સ્થાપનાચાર્યજી સાડા ત્રણ હાથ દૂર રાખીને ક્રિયા કરવી જોઇએ, આમ છતાં તેવા સંયોગોમાં વધારે દૂર હોય તો આપણી દૃષ્ટિમાં આવે તેટલા દૂર હોય તો ક્રિયા થઇ શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org