________________
૩૮૪
શંકા-સમાધાન
થાય એમ શાસ્ત્રમાં કહ્યું છે. અનવસ્થાદોષ આ પ્રમાણે થાય- એકને વ્હીલચેર વાપરતો જોઇને બીજો સાધુ વાપરે. બીજાને જોઈને ત્રીજો વાપરે. એમ પરંપરા ચાલે. કારણ કે જીવો અનુકૂળ આલંબનોને ઝટ પકડી લે છે. આ રીતે જ આજે વ્હીલચેરનો ઉપયોગ વધવા માંડ્યો છે. આમ અનવસ્થા ચાલવાથી અનવસ્થાદોષ લાગે.
મિથ્યાત્વ દોષ આ પ્રમાણે થાય- મિથ્યાત્વથી વિરુદ્ધ સમ્યત્વ છે. અહીં સમ્યક્ત્વ એટલે દેશ-કાળ-સંઘયણને અનુરૂપ યથાશક્તિ શાસ્ત્ર પ્રમાણે આચરણ કરવું. આથી દેશ-કાળ-સંઘયણને અનુરૂપ શક્તિ પ્રમાણે શાસ્ત્રમાં કહેલું ન કરવું તે મિથ્યાત્વ તથા શાસ્ત્રમાં કહ્યા મુજબ ન કરનાર સાધુ બીજાને મિથ્યાત્વ પમાડવામાં કે મિથ્યાત્વની વૃદ્ધિ કરવામાં નિમિત્ત બને. કેમકે સાધુને ખોટું આચરણ કરતો જોઈને લોકો વિચારે કે એમના શાસ્ત્રોમાં કહેલું ખોટું છે. નહિ તો આ આવું ખોટું કેમ આચરે ?
તેઉકાય વગેરે જીવોની વિરાધના થાય તે પૂર્વે જણાવી દીધું છે. આમ સાધુથી વ્હીલચેરનો ઉપયોગ ન કરી શકાય. (વ્હીલચેરના ઉપયોગથી થતા અનર્થોને વિસ્તારથી સમજવા માટે આચાર્ય શ્રી અશોકસાગર સૂરીશ્વરજી મહારાજે લખેલી “વ્હીલચેરની વીસ વ્યથા” પુસ્તિકા વાંચવી જરૂરી છે.)
સ્થાપનાચાર્ય સંબંધી શંકા-સમાધાન શંકા- ૮૫૪. શાસ્ત્રમાં ચંદ્ર નામ આવે છે. એ શું છે? તેનો સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગ કરી શકાય ?
સમાધાન– ચંદનગ એટલે અક્ષ. અનુયોગદ્વારની ટીકામાં અક્ષર વિન્દ્રન: એ પ્રમાણે અક્ષ શબ્દનો ચંદનક અર્થ કર્યો છે. આથી તેનો સ્થાપનાચાર્યજી તરીકે ઉપયોગ કરી શકાય.
શંકા- ૮૫૫. શંખના સ્થાપનાચાર્યજી બનાવવામાં આવે છે. આ વિષે આગમમાં પાઠ છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org