________________
શંકા-સમાધાન
૩૭૯
લોકૈષણાવાળા બની જાય. આથી જે મોહને બરોબર સમજે છે, તેને કોઇ સાધુને લોકૈષણાવાળા જોઇને નવાઇ ન લાગે.
શંકા- ૮૪૪. દીક્ષા વગેરે પ્રસંગે નાણ મંડાય ત્યારે વિધિ કરતી વખતે અવાર-નવાર પ્રભુજીની આડે પડદો કરવાનો હોય છે. હાલમાં સર્વત્ર પડદો કરવાને બદલે પ્રભુજી ઉપર અંગલુંછણું મૂકીને પ્રભુજીને ઢાંકી દેવાય છે અને તે અંગલુંછણું પણ સુંદર અને ઉજ્જવળ હોતું નથી. તો પડદો કરવાને બદલે આવા અંગલુંછણાં વડે પ્રભુજીને ઢાંકી દેવા, એ યોગ્ય ગણાય ખરું ?
સમાધાન– અંગલુંછણા વડે પ્રભુજીને ઢાંકી દેવા તે યોગ્ય નથી. પ્રભુજીને પડદો કરવો જોઇએ. પ્રભુજીને પ્રક્ષાલ બાદ કોરા કરવા માટેનાં અંગલુંછણા સુંદર અને ઉજ્જવળ હોવા જોઇએ.
શંકા— ૮૪૫. ભગવતી સૂત્ર શતક ૧૫ ઉદ્દેશ ૧ માં અયોગ્ય એવા ગોશાળાને ભગવાને દીક્ષા કેમ આપી, તેનાં ત્રણ કારણો જણાવ્યા છે. તે આ પ્રમાણે (૧) ભગવાનના રાગનો સંપૂર્ણ ક્ષય ન થયો હોવાથી ગોશાળા ઉપર પરિચયના કારણે કંઇક સ્નેહ હતો. આથી અલ્પ સ્નેહગર્ભિત દયા થવાથી ગોશાળાને દીક્ષા આપી. (૨) છદ્મસ્થ હોવાના કારણે ભવિષ્યમાં થનારા દોષને ન જાણવાથી ગોશાળાને દીક્ષા આપી. (૩) આવું અવશ્ય બનનારું હોવાથી ગોશાળાને દીક્ષા આપી. આથી એમ કહી શકાય ખરું કે, ભગવાને ગોશાળાને દીક્ષા આપવામાં ભૂલ કરી છે અથવા છદ્મસ્થતાના કારણે ભગવાનની ભૂલ થઇ ગઇ છે ?
સમાધાન– ગોશાળાને દીક્ષા આપવામાં ભગવાને ભૂલ કરી છે અથવા ભગવાનથી ભૂલ થઇ ગઇ છે એમ ન જ કહેવાય. કિંતુ “અનુપયોગના કારણે દીક્ષા આપી' એમ હજી કહી શકાય. ભગવાન છદ્મસ્થ હોવાથી અનુપયોગ થઇ જાય એ સહજ છે. આમ છતાં ટીકાકારને આ હેતુ આપવામાં પણ સંતોષ થયો નથી. પહેલો હેતુ આપવામાં સંતોષ ન થયો એટલે બીજો હેતુ આપ્યો. બીજો હેતુ આપવામાં પણ સંતોષ ન થયો એથી ત્રીજો હેતુ આપ્યો. આથી ત્રીજો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org