________________
૩૭૪
શંકા-સમાધાન
શંકા- ૮૩૫. આનંદઘનજી મહારાજ કોના શિષ્ય હતા અને એમના શિષ્યો કેટલા હતા અને કોણ કોણ હતા ?
સમાધાન- આનંદઘનજી મહારાજ કોના શિષ્ય હતા વગેરે બાબતોનો ઉલ્લેખ વર્તમાનમાં કોઈ ગ્રંથોમાં જોવામાં આવતો નથી. શ્રી આનંદઘનજી મહારાજનું વતન (અત્યારના મધ્યપ્રદેશમાં આવેલ) બુંદેલખંડમાં હતું એમ માનવામાં આવે છે, કેટલાક એમને મારવાડના કહે છે. તેમનું સાધુપણાનું નામ લાભાનંદ હતું, પણ આત્મામાં જ લીન રહેનારા હોવાથી જૈનસંઘમાં આનંદઘન તરીકે પ્રસિદ્ધ બન્યા. તેઓ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના સમકાલીન હતા.
શંકા- ૮૩૬. વર્તમાનમાં તે તે સમુદાયના અધિપતિનેનાયકને ગચ્છાધિપતિ તરીકે ઓળખવામાં આવે છે પણ મને લાગે છે કે ગચ્છ તો તપગચ્છ છે. એથી તપગચ્છના જે સૌથી મહાન મોટા આચાર્ય હોય તે એકને જ ગચ્છાધિપતિ તરીકે સંબોધવા જોઇએ, બીજા નાયક આચાર્યોને સમુદાયાધિપતિ કહેવા જોઇએ.
સમાધાન- તમારી વાત બરોબર જણાય છે. વર્તમાનમાં તેવો વ્યવહાર થાય તે ઇચ્છનીય છે. શાસ્ત્રમાં નીચે મુજબની વ્યવસ્થા જણાવવામાં આવી છે. એક આચાર્યનો સમુદાય તે ગણ, એથી તે આચાર્ય ગણાધિપતિ કહેવાય. અનેક ગણોનો સમુદાય તે કુલ. કુલમાં સૌથી મહાન આચાર્યને કુળાધિપતિ કહેવાય. અનેક કુળોનો સમુદાય તે સંઘ કહેવાય. સંઘમાં સૌથી મહાન આચાર્યને સંઘાચાર્ય કહેવાય. આજે આ વ્યવસ્થા રહી નથી છતાં થાય એ ઇચ્છવા જેવું છે.
શંકા– ૮૩૭. ગુરુ મહારાજથી “અમારી પાસે દીક્ષા લો” એમ કહેવાય ખરું ?
સમાધાન- “અમારી પાસે દીક્ષા લો” એવું સાધુથી ન કહેવાય. સાધુ “સુગુરુની પાસે દીક્ષા લેવી જોઈએ” એમ કહે અને સુગુરુ કેવા હોય એ સમજાવે. “અમારી પાસે દીક્ષા લો” એમ કહેનારમાં સ્પૃહા ભરેલી છે એવું નિશ્ચિત થાય છે. સાધુ તો નિઃસ્પૃહ હોય. કોઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org