________________
શંકા-સમાધાન
૩૭૩ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સમક્ષ પ્રતિક્રમણ પછી સાધુઓએ ગુરુસ્તુતિ બોલવાનું શરૂ કર્યું. પણ પૂજ્યપાદશ્રીએ તેનો નિષેધ કર્યો. વર્તમાનમાં ગુરુની મૂર્તિ સમક્ષ સ્તુતિ બોલવામાં આવે છે. આમાં કોઈ શાસ્ત્રીય બાધ જણાતો નથી. આથી પૂ. હેમચંદ્રસૂરીશ્વરજી મ. વગેરેની વિધિપૂર્વક પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ સમક્ષ સ્તુતિ કરવામાં વાંધો નથી.
શંકા- ૮૩૨. સાધુ બાળકનું નામકરણ કરી શકે ?
સમાધાન– આત્મા તો અનામી છે, માત્ર વ્યવહાર ખાતર નામ રાખવામાં આવે છે. એથી જીવ મૃત્યુ પામે એટલે એના નામનો પણ વિનાશ થાય છે. આવું વિનાશી નામકરણ સાધુઓ કેવી રીતે કરે ? અર્થાતુ ન કરે. હા, કોઈ એમ કહે કે આજે પડતા અર્થહીન નામો અમારે રાખવા નથી, કોઈ ધાર્મિક અર્થવાળું નામ અમને બતાવો, તો સાધુ માત્ર ધાર્મિક અર્થવાળું નામ સૂચવી શકે. પણ જાતે તેનું નામકરણ ન કરે. (આ કેવો જોગાનુજોગ છે કે જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે જ એક બહેને પોતાના બાળકનું ધાર્મિક અર્થવાળું નામ બતાવવા વિનંતી કરી.).
શંકા- ૮૩૩. સાધુ-સાધ્વી સીદાતા શ્રાવકની આર્થિક-શૈક્ષણિક સહાયતા પૂરી પાડવા માટે અન્ય શક્તિસંપન્ન શ્રાવકને ભલામણ કરી શકે ? સંસાર પોષ્યાનું પાપ સાધુને લાગે ?
સમાધાન- ઉપદેશરૂપે ભલામણ કરી શકે, આજ્ઞા રૂપે નહિ. સંસાર પોષ્યાનું પાપ સાધુને ન લાગે. કારણ કે ધ્યેય સાધર્મિક ભક્તિનું છે.
શંકા- ૮૩૪. વરાહમિહિરના ગુરુભાઈ શ્રી ભદ્રબાહુ સ્વામી ક્યારે થઈ ગયા ?
સમાધાન– વરાહમિહિરના ગુરુભાઈ શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રી વીરનિર્વાણથી ૧૭૦ વર્ષે દેવલોક પામ્યા છે. ૪૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. તેમનું આયુષ્ય ૭૬ વર્ષનું હતું. આથી શ્રી ભદ્રબાહુ સ્વામી વીરનિર્વાણની અપેક્ષાએ બીજી શતાબ્દીમાં થઈ ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org