________________
શંકા-સમાધાન
૩૭૧
શંકા− ૮૨૮. અતિમુક્તકકુમારે (અઇમુત્તામુનિએ) કેટલા વર્ષની વયે દીક્ષા લીધી ?
સમાધાન– અતિમુક્તકકુમારે છ વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. (વિવિધ પ્ર.વિ.૧ ૫.૫૪)
શંકા— ૮૨૯. ગોશાળો સંયત હતો કે અસંયત ? તેરાપંથીઓ ગોશાળાને અસંયત માને છે. સકલાગમ રહસ્યવેદી પૂ.આ.શ્રી દાનસૂરિ મ. વિરચિત વિવિધ પ્રશ્નોત્તરમાં તેનું ખંડન કર્યું છે. તેમાં ભગવતીજી સૂત્રના ૧૫મા ઉદ્દેશાનો પાઠ મૂક્યો છે. તે આ પ્રમાણે गोशाला तुमं मए चेव पव्वाविए, मए चेव मुंडाविए, मए चेव સેહાવિદ્, મચ્છુ વેવ સિઘ્રાવિણ, મધ્ ચેવ બટ્ટુપુણ્ પ્... જો એ અસંયત હોત તો ભગવાન આ બધું કરે નહિ. બીજી બાજુ કલ્પસૂત્રમાં જે વર્ણન સાંભળવા મળે છે, તેથી એમ જ લાગે કે ગોશાળામાં સંયમ કેવી રીતે હોય ?
સમાધાન– તેરાપંથીઓ અસંયત માને છે તે બરાબર છે અને પૂ. દાનસૂરિજી મહારાજે તેનું ખંડન કર્યું છે તે પણ બરોબર છે. ગોશાળાને ભગવાને દીક્ષા આપી વગેરે વચનો ઉપચાર વચનો છે, કારણ કે ગોશાળાએ સ્વયં વસ્ત્ર વગેરેનો ત્યાગ કરીને ભગવાનને કહ્યું કે- આપ મને આપના શિષ્ય તરીકે સ્વીકારો. ભગવાને પોતાના જ્ઞાનથી તેવા ભાવિભાવ જાણીને તેનું વચન સ્વીકાર્યું. ત્યાર પછી ગોશાળાએ ભગવાનને જે કંઇ પૂછ્યું તે બધાનો જવાબ પ્રભુના સાંનિધ્યમાં રહેનાર સિદ્ધાર્થ દેવ આપતો હતો. પછી ભગવાને તેને તેવા ભાવિભાવથી જ તેજોલેશ્યા પ્રાપ્ત કરવાનો વિધિ બતાવ્યો. પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્યો કે જેમણે ચારિત્ર છોડી દીધું હતું, તેમણે ગોશાળાને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન બતાવ્યું. આમ તેજોલેશ્યા અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધારણ કરતો ગોશાળો ભગવાનથી અલગ થઇને “હું જિન છું” એમ કહેતો વિહાર કરવા લાગ્યો. સમય જતાં તેના ઘણા શિષ્યો થયા.
""
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org