________________
૩૭૦
શંકા-સમાધાન
આ સિવાય બીજી પણ અનેક બાબતોમાં પાર્થચંદ્રગચ્છ તપાગચ્છથી ભિન્ન મત ધરાવે છે. પાર્થચંદ્રગચ્છની ઉત્પત્તિ ૧૭મી સદીમાં થઈ છે.
શંકા- ૮૨૪. ગ્લાન સાધુની વેયાવચ્ચના વર્ણનમાં સંઘને સોંપવાનું લખ્યું છે. તે સંઘ શ્રમણસંઘ કે શ્રાવકસંઘ લેવો ?
સમાધાન- શ્રમણ સંઘ લેવો. શાસ્ત્રમાં સાધુઓને આશ્રયીને ગણ, કુલ અને સંઘ એમ ત્રણ પ્રકાર છે. એક આચાર્યનો સમુદાય તે ગણ. અનેક ગણોનો સમુદાય તે કુલ. અનેક કુલોનો સમુદાય તે સંઘ, જૈન શાસનમાં ગ્લાન સાધુની સારી સેવા થાય તે માટે આ ત્રણને આશ્રયીને સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
શંકા- ૮૨૫. જેમના શિષ્યો એકબીજાને વંદન કરતા ન હતા અને એથી નિદ્ભવ થયા તે અષાઢાચાર્ય શ્રી મહાવીર ભગવાનના નિવણ બાદ ક્યારે થયા ?
સમાધાન- આ અષાઢાચાર્ય શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૨૧૪ વર્ષે થયા.
શંકા- ૮૨૬. સાધુ-સાધ્વીઓએ ધર્મક્રિયાઓ કઈ દિશામાં કરવી જોઇએ ?
સમાધાન- સાધુ-સાધ્વીઓએ પૂર્વ દિશા કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને ધર્મક્રિયાઓ કરવી જોઇએ. (વિ.પ્ર. વિ.૧ પ્ર.૧૦૫)
શંકા- ૮૨૭. અમે જયારે પણ ગુરુ મહારાજને વંદન કરવા જઇએ ત્યારે એ ગુરુ મહારાજ એ જ સવાલ પૂછે છે કે ક્યારે તમારી “જય બોલાવવાની છે ?'
સમાધાન વ્યક્તિની યોગ્યતા જોયા વિના દરેક વખતે આવું કહેવું યોગ્ય નથી. આનાથી એવું પણ બને કે કોઈ જીવ ગુરુની પાસે આવતો બંધ થઈ જાય. કોઈ વ્યક્તિમાં દીક્ષાની યોગ્યતા દેખાતી હોય તો પણ અવાર-નવાર ઉચિત રીતે પ્રેરણા કરાય, એની પાછળ ન પડાય. સાધુ પરાણે દીક્ષાની બાધા આપે કે પોતાની પાસે ભણવા આવવાની બાધા આપે તે પણ જરાય ઉચિત નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org