________________
શંકા-સમાધાન
૩૬૯
સમાધાન– વર્તમાનમાં મુખ્યતયા તપાગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ અને પાર્જચંદ્રગચ્છ (પાયચલગચ્છ) એમ મુખ્ય ચાર ગચ્છો છે. તેમાં અચલગચ્છ નીચે મુજબ માન્યતા ધરાવે છે– (૧) સંવત્સરી ભાદરવા સુદ પાંચમના કરવી. (૨) ચોમાસી-પફખી પ્રતિક્રમણ પૂનમના કરવું. (૩) પર્વ દિવસે જ પૌષધ કરવો. (૪) સંવત્સરી અષાઢ સુદ પૂનમથી ૫૦મા દિવસે જ કરવી.
આથી બે શ્રાવણ હોય તો બીજા શ્રાવણ સુદ પાંચમે સંવત્સરી કરવી. બે ભાદરવા હોય તો પહેલા ભાદરવા સુદ
પાંચમના સંવત્સરી કરવી. (૫) સાધ્વીજીઓ પુરુષ સમક્ષ વ્યાખ્યાન વાંચી શકે. (૬) ઉપધાન કરાવવામાં આવતા નથી.
આ મુખ્ય બાબતો જણાવી છે. એ સિવાય બીજી પણ ઘણી બાબતોમાં અચલગચ્છ તપાગચ્છથી ભિન્ન માન્યતાઓ ધરાવે છે. અચલગચ્છની ઉત્પત્તિ વિ.સં. ૧૨૧૪માં થઈ છે.
ખરતરગચ્છ નીચે મુજબ તપાગચ્છથી ભિન્ન માન્યતા ધરાવે છે. (૧) વીરપ્રભુના છ કલ્યાણક માને છે. (૨) સ્ત્રીઓથી ભગવાનની પૂજા ન થાય. (૩) પર્વતિથિ સિવાય પૌષધ ન લેવાય. (૪) પંચાંગમાં અધિક માસ આવે ત્યારે તે માસની આરાધના
ક્યારેક પ્રથમ માસમાં કરે તો ક્યારેક બીજા માસમાં કરે. (૫) સાધ્વીઓ પુરુષ સમક્ષ વ્યાખ્યાન વાંચી શકે.
આ મુખ્ય બાબતો જણાવી છે. આ સિવાય બીજી પણ ઘણી બાબતોમાં ખરતરગચ્છ તપાગચ્છથી જુદો પડે છે. ખરતરગચ્છની ઉત્પત્તિ વિ.સં. ૧૨૦૪માં થઈ છે.
પાર્જચંદ્રગચ્છ નીચે મુજબ તપાગચ્છથી ભિન્ન માન્યતા ધરાવે છે. (૧) સંવત્સરી ભાદરવા સુદ પાંચમના કરવી. (૨) ત્રણ ચોમાસી (પ્રતિક્રમણ) પૂનમના કરવી. (૩) સાધ્વીજીઓ પુરુષ સમક્ષ વ્યાખ્યાન વાંચી શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org