________________
૩૬૮
શંકા-સમાધાન
રહેતા હતા અને તે જ ગચ્છાધિપતિ હતા. પણ ઘણા પ્રાચીનકાળથી એક ગચ્છમાં એક ગચ્છાધિપતિ હોય અને અન્ય અનેક આચાર્યો હોય તેવી આચરણા શરૂ થઈ.
શંકા- ૮૨૧. વરઘોડા આદિ પ્રસંગે સ્ત્રીઓ ગીતો ગાય તે યોગ્ય છે, પણ “સોડા લેમન કોકાકોલા, ગુરુજીની બોલબાલા” આવા અને બીજા કોઈ પણ સૂત્રોચ્ચાર કરવા તે સ્ત્રીઓને માટે યોગ્ય છે? સમાધાન- યોગ્ય નથી. શંકા- ૮૨૨. સાધુઓની સાતમાંડલીઓ હોય છે. તેમાં માંડલી એટલે શું અને તે સાત માંડલીઓ કંઈ કંઈ છે ?
સમાધાન– બધા સાધુઓ ભેગા થઈને અનુષ્ઠાન કરે તેને માંડલી કહેવાય, તેવી માંડલીઓ સાત છે. તે આ પ્રમાણે- સૂત્ર, અર્થ, ભોજન, કાળ, આવશ્યક, સ્વાધ્યાય અને સંથારો આ સાત માંડલી છે. એનું સ્વરૂપ નીચે મુજબ છે.
સૂત્ર માંડલી– પહેલાં પ્રહરમાં સાધુઓ ભેગા બેસીને સૂત્રનો સ્વાધ્યાય કરે તે સૂત્ર માંડલી.
અર્થ માંડલી– બધા સાધુઓ ભેગા થઈને સૂત્રના અર્થને વાંચે કે સાંભળે તે અર્થ માંડલી.
ભોજન માંડલી–સાધુઓ ભેગા થઈને ભોજન કરે તે ભોજન માંડલી. કાળ માંડલી- સાધુઓ ભેગા થઈને કાળનું પdયણું કાળપ્રવેદન કરે તે કાળ માંડલી.
આવશ્યક માંડલી- સાધુઓ ભેગા થઈને આવશ્યક(પ્રતિક્રમણ, પોરિસી=પાત્રાની પડિલેહણ વગેરે) કરે તે આવશ્યક માંડલી.
સ્વાધ્યાય માંડલી- સાધુઓ ભેગા થઈને સજઝાય પઠવે (સ્વાધ્યાય કરે) તે સ્વાધ્યાય માંડલી.
સંથારા માંડલી- સાધુઓ ભેગા થઈને સંથારા પોરિસી ભણાવે તે સંથારા માંડલી.
શંકા- ૮૨૩. વર્તમાનમાં કેટલા ગચ્છો છે અને તે ગચ્છો તપાગચ્છથી કઈ રીતે જુદા પડે છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org