________________
શંકા-સમાધાન
૩૬૫
શંકા— ૮૧૭. કોઇ ગુરુભગવંત દ્વારા કોઇ વ્યક્તિને સંસ્થાના કામ માટે મોકલવામાં આવે પણ તે વ્યક્તિમાં જૈનત્વના સંસ્કારો ન હોય અને એથી સંસ્થાના કામ માટે એનામાં લાયકાત ન હોય તો એ વાત ગુરુભગવંતને કહેવામાં દોષ ખરો ? નિંદારૂપ ગણાય ?
સમાધાન– એ વાત ગુરુભગવંતને વિનયપૂર્વક કહેવામાં જરાય દોષ નથી અને એ વાત નિંદારૂપ ન ગણાય. એટલું જ નહિ આવી વાત જણાવવી જ જોઇએ.
શંકા— ૮૧૮. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતના તપના પારણાની બોલી, બોલી શકાય ?
સમાધાન– ન બોલી શકાય. તસિઞજ્ઞાતતાાર્યા=સાધુસાધ્વીજીઓએ પોતાની તપની બીજાને(=ગૃહસ્થોને) જાણ ન થાય તેમ કરવું જોઇએ. તપના પારણાની બોલી બોલાવવામાં આ જિનાજ્ઞાનું પાલન ન થાય. ગૃહસ્થો સાધુ-સાધ્વીજી મહારાજ માટે જે આહાર બનાવે તે આહાર નિષ્કારણ લેવાથી સાધુ-સાધ્વીજીને દોષ લાગે. પારણાની બોલી દ્વારા ગૃહસ્થોને પારણાના દિવસની ખબર પડી જાય. એથી પોતાને લાભ મળે એ માટે ગૃહસ્થો સાધુસાધ્વીજી માટે આહાર બનાવે એવું બને. જેને પારણાનો લાભ મળ્યો હોય તે અને બીજાઓ પણ સાધુ-સાધ્વી માટે બનાવે. કદાચ પારણાના તપસ્વી તેવો આહાર ન વહોરે તો પણ ગૃહસ્થોએ સાધુને વહોરાવવા માટે જે આરંભ-સમારંભ કર્યો હોય તેમાં નિમિત્ત તપસ્વી બને એથી એ આરંભ-સમારંભના દોષના ભાગીદાર પારણાની બોલી બોલાવવાની રજા આપનારા તપસ્વી બને. પારણાની બોલી ન બોલાવી હોય છતાં કોઇ પણ રીતે કોઇ ગૃહસ્થને પારણાના દિવસની ખબર પડી જાય એથી પારણાનો લાભ મળે એ માટે આહાર બનાવવાનો આરંભ-સમારંભ કરે, તેમાં તપસ્વી ભાગીદાર ન બને. આ આહાર મારા માટે બનાવ્યો છે કે નહિ તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ જાણવાનો પ્રયત્ન કરે. તેમાં આ આહાર મારા માટે બનાવ્યો નથી એમ ખાતરી કરીને આહાર વહોરે ત્યારે એ આહાર મુનિ માટે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org