________________
૩૬૪
શંકા-સમાધાન છોકરીને સાધ્વીજી અડી શકે છે પણ તેને તેવો વેશ પહેરાવવો યોગ્ય નથી. આમ છતાં લોકોમાં એવો ભ્રમ થાય એમ હોય કે સાધુ-સાધ્વી, બાળિકા-બાળકને અડ્યા, તો ન અડાય તો વધુ સારું. શંકા- ૮૧૪. ગૃહસ્થો સાધુ-સાધ્વીજીનું પાત્ર ભજવી શકે ?
સમાધાન ન જ ભજવી શકે. કોઈ ભજવતા હોય તો તેનો સખત વિરોધ કરવો જોઇએ. જે સાધુ-સાધ્વીજીનું પાત્ર ભજવે તેને અને જોનાર બધાને મોટું પ્રાયશ્ચિત્ત આવે. વેશ પહેર્યા પછી પાછો ઉતારી ન શકાય. જીવનભર જેને પહેરી રાખીને વફાદારીપૂર્વક એ વેશ મુજબ વર્તવું જ જોઈએ. આવો જો કોઈ વેશ હોય, તો તે સાધુવેશ છે. માટે આવા વેશને નાટકિયાની જેમ ન જ પહેરી શકાય, એ સમજી શકાય એવું છે.
શંકા- ૮૧૫. તપાગચ્છ સિવાયના અન્ય ગચ્છના સાધુઓ ચારિત્રસંપન્ન છે એમ મનાય કે નહિ ?
સમાધાન– તપગચ્છના સાધુઓ સિવાયના અન્ય ગચ્છમાં રહેલા ચારિત્રસંપન્ન નથી એવું એકાંતે માની શકાય નહિ.
વિશેષ નોંધ- આજે સિદ્ધાંત ભેદ, સામાચારી ભેદ ઇત્યાદિના બહાને સ્વમાન્ય સાધુઓ સિવાય તપગચ્છના પણ ચારિત્રસંપન્ન સાધુઓને વંદનાદિ ન કરે, તે ઉચિત્ત છે કે અનુચિત્ત છે, એ ગીતાર્થ મહાત્માઓએ વિચારવું જોઈએ.
શંકા- ૮૧૬. કાપ આદિ માટે સાધુને પાણીની જરૂર હોય અને ગૃહસ્થની પાસે તાત્કાલિક ગરમ કરાવવું પડે તેવા સંયોગો હોય ત્યારે કાચા પાણીમાં ચૂનો નાખીને અચિત્ત કરી આપે તે સુયોગ્ય ગણાય કે ઉકાળી આપે તે સુયોગ્ય ગણાય ?
સમાધાન– કાપ આદિ માટે ઉકાળેલું પાણી કે ઉકાળેલા પાણીમાં ચૂનો નાખેલું પાણી વાપરવાની આચરણા છે. એ આચરણાનો લોપ કરવો યોગ્ય નથી. એથી કાચા પાણીમાં ચૂનો નાખીને તે પાણીથી કાપ કાઢવો વગેરે યોગ્ય નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org