________________
શંકા-સમાધાન
૩૬૩
શંકા ૮૧૧. સાધુ-સાધ્વીના ઉપયોગ માટે બનાવાતા ડેસ્કટેબલ-મેજ જ્ઞાનખાતામાંથી બનાવી શકાય ? પાટ-પાટલા વૈયાવચ્ચ ખાતામાંથી બનાવી શકાય ? એ ડેસ્ક-ટેબલ અને પાઢ-પાટલા શ્રાવકો વાપરી શકે ?
સમાધાન સાધુ-સાધ્વીના ઉપયોગ માટે બનાવેલા ડેસ્ક-ટેબલ વગેરે જ્ઞાનખાતામાંથી ન બનાવી શકાય. કારણ કે અવસરે મુમુક્ષુઓ અને શ્રાવકો પણ એનો ઉપયોગ કરે. એથી એમને જ્ઞાનદ્રવ્યભક્ષણનો દોષ લાગે. પાટ-પાટલા વેયાવચ્ચ ખાતામાંથી ન બનાવી શકાય. કારણ કે અવસરે મુમુક્ષુઓ અને શ્રાવકો પણ એનો ઉપયોગ કરતા હોય છે. એથી એમને વૈયાવચ્ચ ખાતાની ૨કમના ભક્ષણનો દોષ લાગે. જ્ઞાનખાતામાંથી બનેલા ડેસ્ક-ટેબલ વગેરેનો અને વૈયાવચ્ચ ખાતામાંથી બનેલા પાટ-પાટલા વગેરેનો શ્રાવક ઉપયોગ ન કરી શકે. મૂળ મુદ્દો એ જ છે કે આવા દ્રવ્યમાંથી આ બધું ન જ બનાવવું જોઇએ.
શંકા- ૮૧૨. વરઘોડામાં કોઇ નાની છોકરીને સાધ્વીનો વેશ પહેરાવીને અને એના હાથમાં ઓઘો-પાત્રાદિ આપવા સાથે એને વરઘોડામાં ફેરવે તો તે ઉચિત ગણાય ?
સમાધાન– આવું કરવું તે જરાય ઉચિત નથી. આ તો એક જાતનું નાટક ગણાય. જેમ નાટકમાં પાત્ર પ્રમાણે વેશ પહેરવામાં આવે અને પછી ઉતારી દેવામાં આવે, તેમ અહીં પણ બને છે. આમાં સાધુપણાનું અવમૂલ્ય થાય છે, સાધુતાની આશાતના થાય છે. સાધુઓએ અને વિવેકી શ્રાવકોએ આવું ન થવા દેવું જોઇએ.
શંકા- ૮૧૩. પહેરવેશ અને માથાના વાળ આદિને કારણે છોકરાનો દેખાવ છોકરી જેવો લાગતો હોય તો સાધુ એવા છોકરાને અડી શકે ? પહેરવેશ અને માથાના વાળ આદિને કારણે છોકરી છોકરા જેવી જ દેખાતી હોય તો એવી છોકરીને સાધ્વી અડી શકે ?
સમાધાન— પહેરવેશ આદિના કારણે છોકરી જેવા લાગતા છોકરાને સાધુ અડી શકે, પણ તેણે તેવો વેશ ન પહેરવો જોઇએ, અગર માબાપે છોકરાને તેવો વેશ ન પહેરાવવો જોઇએ. છોકરા જેવી લાગતી
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org