SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન જન્માભિષેક કરે છે. આચાર્ય વગેરે જન્મથી જ પૂજ્ય નથી. પણ દીક્ષા દિવસથી પૂજ્ય બને છે. ગણધરો પણ જન્મથી પૂજય ન હોવાથી ગણધરોનો પણ જન્મદિવસ ન ઉજવાય તો બીજા આચાર્ય વગેરેનો જન્મદિવસ કેવી રીતે ઉજવાય ? આજે ઘણી પ્રવૃત્તિઓ દેખાદેખીથી થાય છે. કોઇ આચાર્યનો જન્મદિવસ ઉજવાયો તો તેને જોઇને બીજાઓનો પણ જન્મદિવસ ઉજવવાની શરૂઆત થઇ જાય છે. યોગ્યાયોગ્યનો વિચાર કરનારા બહુ જ વિરલા હોય છે. દુ:ધ્વનિમિત્તમપીવું એ (તત્ત્વાર્થાધિગમ સૂત્રની સંબંધકારિકા ગા.૧) શાસ્ત્રપાઠના આધારે સાધુની પણ જન્મતિથિ ન ઉજવાય એમ મને જણાય છે. આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેનાર પણ જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી એ જીવ પોતે દુઃખ પામ્યો છે અને બીજા અનેક જીવોના દુ:ખોમાં નિમિત્ત બન્યો છે, માટે પરના અનેક દુઃખોમાં નિમિત્ત બનનાર એવી જન્મતિથિ કેવી રીતે ઉજવાય ? દુઃદ્ધનિમિત્તમપીવું એ શ્લોકમાં દુઃખનિમિત્તે એનું મહત્ત્વ નથી અને સુલબ્ધ મત્ત એનું પણ મહત્ત્વ નથી. એ બંનેનું સ્વરૂપ જણાવ્યું છે. મનુષ્ય જન્મ દુઃખનું કારણ છે અને જન્મ સફળ થાય છે એમ માત્ર સ્વરૂપ જણાવ્યું છે. મહત્ત્વ તો યો અને તેન એ બેનું છે, અર્થાત્ રત્નત્રયીનું મહત્ત્વ છે. દુઃખનું કારણ એવું પણ જન્મ જે આત્મા રત્નત્રયીને મેળવે છે તેને સફળ થાય છે. એટલે આ શ્લોકમાં રત્નત્રયીને મહત્ત્વ અપાયું છે. કોનો જન્મ સુલબ્ધ થાય એમ કહીને રત્નત્રયીનું મહત્ત્વ જણાવ્યું છે. દુઃખનું કારણ છે એ કોઇના કારણે નથી. હવે કદાચ કોઇ એમ કહે કે જેણે દીક્ષા લીધી તેનો જન્મ દીક્ષાના કારણે સફળ થયો એમ કહેવાય, માટે એનો જન્મદિવસ ઉજવાય. આ વિષે જણાવવાનું કે આમાં પણ જન્મની મહત્તા નથી કિંતુ જીવની યોગ્યતાની મહત્તા છે. આ જીવે પણ પૂર્વે અનેકવાર મનુષ્યભવ પ્રાપ્ત કર્યો છે, છતાં દીક્ષા લીધી નથી. કેમકે એ જન્મોમાં જીવની યોગ્યતા ન હતી. આ જન્મમાં એની યોગ્યતા થઇ માટે દીક્ષા લીધી તેથી જન્મનું મહત્ત્વ નથી કિંતુ જીવની યોગ્યતાનું મહત્ત્વ છે. For Personal and Private Use Only www.jainelibrary.org ૩૬૨ Jain Educationa International
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy