________________
શંકા-સમાધાન
જન્માભિષેક કરે છે. આચાર્ય વગેરે જન્મથી જ પૂજ્ય નથી. પણ દીક્ષા દિવસથી પૂજ્ય બને છે. ગણધરો પણ જન્મથી પૂજય ન હોવાથી ગણધરોનો પણ જન્મદિવસ ન ઉજવાય તો બીજા આચાર્ય વગેરેનો જન્મદિવસ કેવી રીતે ઉજવાય ? આજે ઘણી પ્રવૃત્તિઓ દેખાદેખીથી થાય છે. કોઇ આચાર્યનો જન્મદિવસ ઉજવાયો તો તેને જોઇને બીજાઓનો પણ જન્મદિવસ ઉજવવાની શરૂઆત થઇ જાય છે. યોગ્યાયોગ્યનો વિચાર કરનારા બહુ જ વિરલા હોય છે.
દુ:ધ્વનિમિત્તમપીવું એ (તત્ત્વાર્થાધિગમ સૂત્રની સંબંધકારિકા ગા.૧) શાસ્ત્રપાઠના આધારે સાધુની પણ જન્મતિથિ ન ઉજવાય એમ મને જણાય છે. આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેનાર પણ જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી એ જીવ પોતે દુઃખ પામ્યો છે અને બીજા અનેક જીવોના દુ:ખોમાં નિમિત્ત બન્યો છે, માટે પરના અનેક દુઃખોમાં નિમિત્ત બનનાર એવી જન્મતિથિ કેવી રીતે ઉજવાય ? દુઃદ્ધનિમિત્તમપીવું એ શ્લોકમાં દુઃખનિમિત્તે એનું મહત્ત્વ નથી અને સુલબ્ધ મત્ત એનું પણ મહત્ત્વ નથી. એ બંનેનું સ્વરૂપ જણાવ્યું છે. મનુષ્ય જન્મ દુઃખનું કારણ છે અને જન્મ સફળ થાય છે એમ માત્ર સ્વરૂપ જણાવ્યું છે. મહત્ત્વ તો યો અને તેન એ બેનું છે, અર્થાત્ રત્નત્રયીનું મહત્ત્વ છે. દુઃખનું કારણ એવું પણ જન્મ જે આત્મા રત્નત્રયીને મેળવે છે તેને સફળ થાય છે. એટલે આ શ્લોકમાં રત્નત્રયીને મહત્ત્વ અપાયું છે. કોનો જન્મ સુલબ્ધ થાય એમ કહીને રત્નત્રયીનું મહત્ત્વ જણાવ્યું છે. દુઃખનું કારણ છે એ કોઇના કારણે નથી.
હવે કદાચ કોઇ એમ કહે કે જેણે દીક્ષા લીધી તેનો જન્મ દીક્ષાના કારણે સફળ થયો એમ કહેવાય, માટે એનો જન્મદિવસ ઉજવાય. આ વિષે જણાવવાનું કે આમાં પણ જન્મની મહત્તા નથી કિંતુ જીવની યોગ્યતાની મહત્તા છે. આ જીવે પણ પૂર્વે અનેકવાર મનુષ્યભવ પ્રાપ્ત કર્યો છે, છતાં દીક્ષા લીધી નથી. કેમકે એ જન્મોમાં જીવની યોગ્યતા ન હતી. આ જન્મમાં એની યોગ્યતા થઇ માટે દીક્ષા લીધી તેથી જન્મનું મહત્ત્વ નથી કિંતુ જીવની યોગ્યતાનું મહત્ત્વ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org
૩૬૨
Jain Educationa International