SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૬૧ વહોરાવવામાં આવે તે જ યોગ્ય છે. વિશેષથી તો પૂર્વે કહ્યું તેમ જાણવું તથા આવી તકલીફવાળા સાધુ-સાધ્વીઓએ તેવા જ સ્થાનોમાં રહેવું જોઇએ કે જે સ્થાનોમાં રહેવાથી ઘરોની અંદર જઈને ગોચરી વહોરી શકાય. ઘરની બહાર ભિક્ષા ભિખારીઓને અપાય, પૂજયોને નહિ. આમ છતાં ન છૂટકે અપવાદથી આમ કરવું પડે એ વાત જુદી છે. શંકા- ૮૦૯. કુમારપાલ મહારાજાની પહેલા કોઈ ગુરુભક્ત પોતાના ગુરુનું નવાંગી ગુરુપૂજન કર્યું હોય તો જણાવશો. સમાધાન– કુમારપાલ મહારાજાની પહેલા કોઈ ગુરુભક્ત પોતાના ગુરુનું નવાંગી ગુરુપૂજન કર્યું હોય તે વાંચવામાં આવ્યું નથી. આમ છતાં આચારાંગ સૂત્રની ટીકામાં સુગંધી પદાર્થથી ગુરુપૂજા કરવાનો ઉલ્લેખ છે તથા કેટલીક પ્રવૃત્તિઓ શાસ્ત્રમાં ન હોવા છતાં તેવા કોઈ કારણથી આચાર્યની પરંપરાથી શરૂ થયેલી હોય છે. આચાર્યોની પરંપરાથી શરૂ થયેલી શાસ્ત્રથી અવિરુદ્ધ પ્રવૃત્તિ પ્રમાણરૂપ ગણાય. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા તથા જગદ્ગુરુશ્રી હીરસૂરીશ્વરજી મહારાજા વગેરે અનેક મહાપુરુષોએ નવાંગી ગુરુપૂજનનો નિષેધ કર્યો નથી, એનાથી જ સિદ્ધ થાય છે કે નવાંગી ગુરુપૂજન શાસ્ત્ર વિરુદ્ધ નથી. જો નવાંગી ગુરુપૂજન શાસ્ત્ર વિરુદ્ધ હોય તો આવા મહાપુરુષો તેનો નિષેધ કર્યા વિના ન રહે. તથા જિનમૂર્તિની પ્રતિષ્ઠા આદિની વિધિના પ્રતિપાદક અનેક ગ્રંથોમાં નવાંગ ગુરુપૂજનનો ઉલ્લેખ છે. સંવત્સરીના દિવસે બારસા સૂત્રના સ્થાને બોલાવવામાં આવતા ઢાળિયાઓમાં પણ નવાંગી ગુરુપૂજનનો ઉલ્લેખ છે. શંકા- ૮૧૦. પૂજ્ય આચાર્ય દેવોનો કે સાધુ-સાધ્વીજીનો જન્મદિવસ ઉજવાય ? સમાધાન-ન ઉજવાય. અરિહંત સિવાય કોઇનો પણ જન્મદિવસ ન ઉજવાય. અરિહંતો તીર્થકર નામકર્મના પ્રભાવથી જન્મથી જ પૂજય છે. તેથી જ દેવો તીર્થકરોના મેરુપર્વત ઉપર ઉલ્લાસથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy