SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૫૯ સમાધાન– સાધુઓને કોઇ પણ વસ્તુ વહોરતા પહેલા મુખ્યત્વે એ જોવાનું હોય કે- આ વસ્તુ નિર્દોષ છે કે નહિ ? તથા સંયમમાં ઉપયોગી છે કે નહિ ? આવી વસ્તુઓ પણ નિર્દોષ હોય અને સંયમમાં ઉપયોગી હોય તો શાસ્ત્રીય કોઇ બાધ નથી. આમ છતાં ખાસ કરીને આરોગ્ય વગેરેની દષ્ટએ ઉત્તમોત્તમ ચીજનો વપરાશ કરવાની દૃષ્ટિએ વિચારવામાં આવે તો પ્લાસ્ટીકની વસ્તુઓ ન વાપરવી હિતાવહ છે. ઠવણી સ્થાપનાચાર્યજી બિરાજમાન કરવા માટે છે. પ્લાસ્ટીક ઉચ્ચ વસ્તુ નથી, હલકી વસ્તુ છે, કૃત્રિમ છે. આથી સુખડ વગેરેની ઠવણી ઉપર સ્થાપનાચાર્યજીને બિરાજમાન કરવામાં સ્થાપનાચાર્યનું અધિક ગૌરવ જળવાય છે. એ જ રીતે ટોકસા-ટોકસીઓ વગેરેમાં ઉષ્ણ વસ્તુઓ રાખવાથી-વાપરવાથી આરોગ્યને હાનિ થવાની સંભાવના છે. શંકા~ ૮૦૫. આંખની તકલીફ દૂર કરવા આંખને સારી રાખવા સાધુથી આંખમાં આંજવાના ઔષધરૂપે મધનો ઉપયોગ કરી શકાય કે નહિ ? સમાધાન– સાધુએ અને શ્રાવકે પણ આંખની તકલીફ દૂર કરવા કે આંખને સારી રાખવા મધનો અને જેમાં મધ આવતું હોય તેવી દવાનો પણ ઉપયોગ ન કરવો જોઇએ. આંખની તકલીફ દૂર કરવા કે આંખને સારી રાખવા મધ વિનાની ઘણી દવાઓ આજે ઉપલબ્ધ છે. આમ છતાં ગાઢ પરિસ્થિતિ સર્જાય ત્યારે ગીતાર્થ ગુરુભગવંતની સલાહ પ્રમાણે કરવું જોઇએ. શંકા- ૮૦૬. રાત્રે પ્રતિષ્ઠાની ઉછામણી હોય તો સાધુથી ત્યાં પાટ ઉપર બેસી ઉછામણી માટે પ્રેરણા કરાય ? સમાધાન– રાત્રે જ્યાં ઉજ્જૈહી લાગતી હોય ત્યાં સાધુથી બેસાય નહિ. કામળી ઓઢીને પણ ન બેસાય. સાધુને કામળી ઓઢીને ઉજ્જૈહીંમાં જવાનું કે બેસવાનું અનિવાર્ય સંયોગોમાં જ છે. સાધુને જરા પણ ઉજ્જુહી ન લાગે તેવી વ્યવસ્થા હોય તો એવા કોઇ અનિવાર્ય અપવાદ તરીકે સાધુ ત્યાં પાટ ઉપર બેસીને ઉછામણી માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy