________________
શંકા-સમાધાન
૩પ૭ સમાધાન- સાધુ-સાધ્વીજીઓએ દીક્ષા લીધી ત્યારે મારે આજથી મન-વચન-કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને હિંસાની અનુમોદના કરવી નહિ એવી પ્રતિજ્ઞા લીધી છે. હવે જો ડોળીમાં બેસીને યાત્રા કરે તો ડોળીવાળા ગૃહસ્થોની અપેક્ષા કરી. આથી ડોળીવાળા ગૃહસ્થો એ દરમિયાન જે કંઈ હિંસા આદિ પાપ કરે તેનું પાપ ડોળીમાં બેસનાર સાધુ-સાધ્વીજીને લાગે. ડોળીવાળાઓની અપેક્ષા રાખી હોવાથી ડોળીવાળા જે કંઈ પાપ કરે તેની અનુમોદના રૂપ પાપ લાગે. આ રીતે સંયમમાં વિરાધના કરાવીને ડોળીથી યાત્રા કરાવવી જરાય યોગ્ય નથી. સાધુઓ માટે સંયમ મુખ્ય છે. એથી યાત્રા પણ સંયમની વિરાધના ન થાય તે રીતે કરવાની છે. આથી સાધુઓએ પણ ડોળીમાં બેસીને યાત્રા કરવાનો મોહ ન રાખવો જોઇએ. આજે મોટા ભાગના શ્રાવકો અને અગીતાર્થ સાધુસાધ્વીજીઓ લાભ-હાનિનો વિચાર કરતા નથી એથી સંયમમાં બાધક પણ પ્રવૃત્તિઓ થાય છે. શ્રાવકોની એ ફરજ છે કે કોઈ પણ નવી પ્રવૃત્તિ કરતાં પહેલાં ગીતાર્થ સાધુઓની સલાહ લેવી જોઈએ. જેથી શાસ્ત્રબાધક પ્રવૃત્તિ ન થાય. મુગ્ધ જીવો ડોળીનો લાભ લેતા હોય તો તેમને લાભ થવાની શક્યતા છે. પણ સાધુ-સાધ્વીને તો એકાંતે નુકસાન જ છે. માટે સમજુ શ્રાવકોએ તેમ ન કરવું જોઇએ.
શંકા- ૮૦૦. સાધુ-સાધ્વીજી માટે અલગ સ્મશાન ભૂમિની વ્યવસ્થા સંઘ રખાવી શકે ?
સમાધાન– આમાં બાધ જેવું જણાતું નથી. કારણ કે સાધુસાધ્વીજીઓ સાધુ-સાધ્વીજીના મૃતકને વિધિપૂર્વક વોસિરાવી દે છે. એથી હવે મૃતકની માલિકી શ્રાવકોની છે. એ મૃતકના અગ્નિસંસ્કાર માટે અલગ સ્મશાન ભૂમિ રાખવી કે ન રાખવી એ શ્રાવકોનું કાર્ય છે. સાધુઓ અલગ સ્મશાન ભૂમિ રાખવાનો ઉપદેશ ન આપી શકે અને શ્રાવકો ભક્તિથી પ્રેરાઈને અલગ સ્મશાન ભૂમિ રાખે તો સાધુઓ નિષેધ પણ ન કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org