SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શંકા-સમાધાન અન્ય સાધુને કે સાધ્વીજીને મોકલવા જોઇએ. જો આ રીતે દરેક ગચ્છાધિપતિ પોત-પોતાના સમુદાયના વૃદ્ધ વગેરે સાધુ-સાધ્વીજીઓ માટે વ્યવસ્થા કરે તો માણસ રાખવાનો પ્રશ્ન જ ન રહે. આજે અમુક સમુદાયમાં આ રીતે વૃદ્ધ વગેરે સાધુ-સાધ્વીજીની સેવા થાય છે. હવે જે સાધુ-સાધ્વીજી માટે ગચ્છાધિપતિ દ્વારા આવી વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય તે સાધુ-સાધ્વીજીને તે તે ગામના કે નગરના સંઘે સંભાળી લેવા જોઈએ. જ્યાં ઘરો નજીકમાં હોય તેવા સ્થાને સંઘ આવા સાધુ-સાધ્વીજીની સ્થિરતા કરાવે અને સંઘના શ્રાવકોશ્રાવિકાઓ એમની કાળજી કરે તો પણ માણસ રાખવાની જરૂર જ ન રહે. વૃદ્ધ વગેરે સાધુ-સાધ્વીજીને અંતિમ અવસ્થામાં જરા પણ અસમાધિ ન થાય, તેની કાળજી રાખવી એ દરેક ગચ્છાધિપતિની અને સંઘની ફરજ છે. આપણે એ સમજી લેવાની જરૂર છે કે વિહાર કરવા અસમર્થ બનેલા કે તેવી બિમારીના કારણે પરાધીન બનેલા સાધુ-સાધ્વીજીની સેવા કરવાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થવા સાથે આ ભવમાં પણ સમાધિની પ્રાપ્તિ થાય છે. જો આવા સંજોગોમાં તેમની સેવા ન કરવામાં આવે તો સંભવ છે કે તેમને “મેં ક્યાં દીક્ષા લીધી જેથી મારી આવી સ્થિતિ થઈ વગેરે અશુભ વિચારો આવે. આવા અશુભ વિચારોથી તેમને અસમાધિ થાય તો તેમનું મૃત્યુ અસમાધિવાળું બને. આવું બને તે ચતુર્વિધ સંઘ માટે કલંકરૂપ ગણાય. હવે જો કોઈ સાધુ-સાધ્વીજી લકવા આદિના કારણે તદ્દન પરાધીન બની જાય, પોતાના હાથે પોતે કશું કરી શકે તેમ ન હોય તેવા સાધુ-સાધ્વીજી મહારાજ માટે પગારદાર માણસ રાખવો પડે તો તે માણસ નમ્ર, સરળ અને સારા સ્વભાવવાળો હોવો જોઈએ. જેથી સાધુ-સાધ્વીજીની સારી સેવા થાય, તીર્થક્ષેત્રોમાં કેવળ માણસના ભરોસે સાધુ-સાધ્વીજી રાખવા તે જરાય યોગ્ય જણાતું નથી. શંકા- ૭૯૯. વૃદ્ધ સાધુ-સાધ્વીજીઓને ડોળીમાં બેસાડીને યાત્રા કરાવવાથી શ્રાવકને લાભ થાય ? અથવા શો દોષ છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy