________________
શંકા-સમાધાન
૩૫૫
પણ તીર્થયાત્રાના કારણે આધાકર્મી વાપરવાનું જરાય ચલાવી લેવાય નહિ. પૂજ્યશ્રીનો દઢ નિર્ધાર જોઇને ગાડા વગેરેનું સાધન બંધ રખાયું. ફક્ત બે શ્રાવકો સાથે રહ્યા.
શંકા- ૭૯૭. સાધુઓ પુસ્તકો છપાવે તો સાધુઓને દોષ લાગે કે નહિ ?
સમાધાન- સાધુઓથી પુસ્તકો છપાવાય નહિ. સાધુઓ પુસ્તકો છપાવે તો સંયમમાં હાનિ થાય. સાધુઓ પુસ્તકો છપાવે તો પુસ્તક છપાવવામાં જે આરંભ-સમારંભ થાય તેના ભાગીદાર સાધુ બને. પણ અહીં એ વાત ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે કે શ્રાવકો પુસ્તકો છપાવે ત્યારે સાધુઓ મુફ સંશોધન આદિ કરી આપે અને માર્ગદર્શન આપે તો તેમાં દોષ ન લાગે. આજે સંયમના ખપી સાધુઓ જાતે પુસ્તકો છપાવતાં નથી. પણ ટ્રસ્ટ વગેરે તરફથી કોઈ પુસ્તક છપાય છે ત્યારે પ્રફુ સંશોધન આદિ કરી આપે છે. આથી જ પુસ્તકમાં પ્રકાશક તરીકે ટ્રસ્ટ આદિનું નામ છપાય છે. એ પણ સમજી લેવાની જરૂર છે કે પૂર્વ મહાપુરુષોએ રચેલા સાહિત્યનું સંરક્ષણ થાય અને આવું કરવા તરફ ટ્રસ્ટીઓનું કે સંઘના આગેવાનોનું લક્ષ દોરવું એ સાધુઓની ફરજ છે. તથા ટ્રસ્ટ આદિ તરફથી છપાતા પુસ્તક સંબંધી પૈસાની પંચાતમાં સાધુઓએ ન પડવું જોઈએ. સાધુઓ પૈસાની પંચાતમાં પડે તો સંયમની હાનિ થયા વિના ન રહે.
શંકા- ૭૯૮. વૃદ્ધ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે પગારદાર માણસો રાખવા કેટલા ઉચિત છે ?
સમાધાન– વિહાર કરવા માટે અસમર્થ બનેલા સાધુ-સાધ્વીજીઓએ પહેલા નંબરમાં તે સાધુ-સાધ્વીજીઓ જે સમુદાયના હોય તે સમુદાયના સાધુ-સાધ્વીજીઓએ સંભાળી લેવા જોઇએ. જે સ્થાનમાં સાધુ કે સાધ્વીજી સ્થિર રહ્યાં હોય કે રાખ્યા હોય તે સ્થાને ગચ્છાધિપતિએ પોતાના સાધુઓને કે સાધ્વીજીઓને મોકલીને તેની સેવા કરાવવી જોઈએ, કોઈ અમુક જ સાધુને કે સાધ્વીજીને સેવા માટે વધારે સમય રાખી શકાય તેમ ન હોય તો વારાફરતી અન્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org