________________
૩૫૪
શંકા-સમાધાન શંકા- ૭૯૬. લોરી, કાર, મોટર કે ખટારો સાથે લઈને વિહાર કરનારાઓમાં મુનિપણું એટલે કે ૬-૭મું ગુણઠાણું માની શકાય ? મજૂરને સૂર્યાસ્ત પછી પણ જમાડવાનું કહેનારમાં સાધુપણું હોઈ શકે ? જે પોતે ગોચરી વહોરી મજૂરને આપે તેનામાં સાધુપણું હોઇ શકે ?
સમાધાન– જેનામાં ચારિત્રના પરિણામ હોય તેનામાં સાધુપણું એટલે કે ૬-૭મું ગુણઠાણું હોય. ચારિત્રના પરિણામ આંતરિક છે. એથી છબસ્થ આપણે તેનો નિર્ણય કેવી રીતે કરી શકીએ ? છતાં એટલું તો ચોક્કસ છે કે આ બધો શિથિલાચાર છે, આવો શિથિલાચાર હોય ત્યાં ચારિત્રના પરિણામ ટકવા કઠિન છે. કદાચ આવા શિથિલાચારવાળા સાધુમાં પ્રારંભમાં ચારિત્રના પરિણામ હોય તો પણ સમય જતાં ચારિત્રના પરિણામ જતા રહે એ અત્યંત સુશક્ય છે.
સાધુઓના આવા શિથિલાચાર પોષાય છે તેનું કારણ શ્રાવકોની અજ્ઞાનતા-જડતા-અંધશ્રદ્ધા વગેરે છે. જો શ્રાવકો સજાગ બને તો આવા શિથિલાચાર બંધ થઈ જાય.
જ્યારે આવા શિથિલાચારની વાતો સાંભળવા મળે છે, ત્યારે મને મારા જેવા અનેક ભવ્ય જીવો ઉપર ઉપકાર કરનારા સિદ્ધાંત મહોદધિ પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સ્મૃતિ થઈ આવે છે. એકવાર તેઓશ્રીનો ૬૦ મુનિઓની સાથે અમદાવાદથી પાલીતાણાનો વિહાર થયો. પ્રથમ મુકામ અમદાવાદ જૈન સોસાયટીમાં હતો. ત્યાં જ પૂજ્યશ્રીને સમાચાર મળ્યા કે, અમદાવાદથી પાલીતાણાના વિહારમાં અનેક સ્થળે જૈનોના ઘર નથી આવતાં, તેથી જીવતલાલ પ્રતાપશીએ વ્યવસ્થા કરવા માટે એક બળદગાડી સાથે રાખી છે. સંયમનિષ્ઠ સૂરિદેવે તરત જ રમણલાલ વજેચંદને બોલાવ્યા ને કહ્યું, “ભાઈ ! ગાડા વગેરેનું સાધન રાખીને મારે પાલીતાણા નથી આવવું. સંયમયાત્રાનો વિનાશ કરીને તીર્થયાત્રા માટે કરવી, કરાવવી નથી.
શ્રાવકે કહ્યું સાહેબ ! વચ્ચેના ગામોમાં જૈનોનાં ઘર નથી આવતાં. પૂજ્યશ્રીએ કહ્યું: કંઈ વાંધો નહિ. ઇતરોના ઘર વચ્ચે આવે છે ને ? ત્યાંથી રોટલો-છાશ વગેરે જે મળશે તેનાથી ચલાવી લઈશું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org