________________
૩૫૨
શંકા-સમાધાન
ઘણો વિવેક રાખવો જોઇએ. ગમે ત્યાં બેસી જવાથી ક્યારેક શાસનની અપભ્રાજના થાય. આવી અપભ્રાજનામાં નિમિત્ત બનવું એ મોટામાં મોટું પાપ છે. સાધુથી સંડાસમાં ન જવાય. એ જ રીતે ઉપધાન વગેરેમાં પોષાતીથી સંડાસમાં ન જ જવાય. નછૂટકે ઉપયોગ કરવો જ પડે, તો વાડાનો કરી શકાય.
શંકા- ૭૯૨. પ્રતિષ્ઠા આદિમાં અમુક જ બેન્ડ લાવો, અમુક જ ગવૈયાઓ બોલાવો એવો આગ્રહ સાધુ કરે તો દોષ લાગે કે નહિ ?
સમાધાન સાધુથી આવો આગ્રહ રાખી શકાય નહિ. બેન્ડ લાવવાનું કે ગવૈયાને બોલાવવાનું કામ શ્રાવકોનું છે, સાધુઓનું નથી. સાધુનું કામ શ્રેષ્ઠ શાસનપ્રભાવના કરવી જોઇએ, ઉત્તમ પરમાત્મભક્તિ કરવી જોઇએ ઇત્યાદિ ઉપદેશ આપવાનું છે. બેન્ડ કયું લાવવું વગેરે કામ સાધુનું નથી. હા, શાસ્ત્રવિરુદ્ધ કંઇ થતું હોય તો સાધુ એ અંગે શ્રાવકોને કહી શકે છે. જે કામ શ્રાવકોને કરવાનાં હોય તે કામ સાધુઓ ક૨વા માંડે તો સંયમમાં હાનિ થયા વિના ન રહે.
શંકા- ૯૯૩. ગીતાર્થ ગચ્છાધિપતિઓની આજ્ઞા મેળવીને પ્રાણઘાતક બિમારીમાં કોઇ સાધુ વાહનનો ઉપયોગ કરીને સારવાર કરાવે તે બાબતને કોઇ શ્રાવકથી જાહેરમાં-વર્તમાનપત્રોમાં ટીકાટીપ્પણ કરી શકાય ?
સમાધાન– શ્રાવકથી જાતે તો આવું ન કરાય, કિંતુ કોઇ આવું કરે તો તેને રોકવાનો પ્રયત્ન કરવો જોઇએ. જાહેરમાં ટીકા-ટીપ્પણ કરવાથી અજૈનો પણ જૈનધર્મની નિંદા કરનારા બને એ સંભવિત છે. આના કારણે ટીકા-ટીપ્પણ કરનાર શ્રાવક બોધિદુર્લભ બને. જેથી તેને ભવિષ્યમાં જૈનધર્મની પ્રાપ્તિ ન થાય. માટે જૈનધર્મની નિંદા થાય તેવું શ્રાવકથી ન જ કરાય. કોઇ શ્રાવકથી આવું થઇ ગયું હોય તો તેણે ગુરુ ભગવંત પાસેથી આનું પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધિ કરી લેવી જોઇએ.
શંકા- ૭૯૪. બસ-રેલ્વેથી નીકળતા યાત્રા-પ્રવાસોની આમંત્રણ પત્રિકાઓમાં આશીર્વાદદાતા કે પ્રેરણાદાતા તરીકે પૂજ્યશ્રીઓના નામ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International