________________
શંકા-સમાધાન
૩૫૧
શહેરોમાં બે કિલોમીટર જેટલું દૂર જવું પડે તો પણ બહાર જ થંડિલ જતા હતા પણ બધા મહાત્માઓ આનું ચુસ્ત પાલન કરી શકે નહિ. બધાનું તેવું શરીર સ્વાથ્ય પણ ન હોય. આથી જે મહાત્માઓ બહાર અંડિલ ન જઈ શકે તેમના માટે વાડાની જરૂર પડે. કોઈને રાતે પણ અંડિલ જવું પડે. રાતે બહાર જઈ શકાય નહિ. આથી પણ વાડાની જરૂર પડે. માટે શ્રાવકો દરેક સ્થળે વાડાની વ્યવસ્થા રાખે છે. હજી એનો ઉપયોગ કરી શકાય, પરંતુ સાધુથી સંડાસમાં ન જવાય. આજે કેટલાક એવી દલીલ કરે છે કે વાડાની અશુચિ પણ સંડાસમાં જ જવાની છે. તો પછી વાડાની અલગ વ્યવસ્થા રાખવી એના કરતાં સાધુ સીધા સંડાસમાં જ જાય એ વધારે સારું છે. આમાં ઘણી અજ્ઞાનતા રહેલી છે. કર્મબંધનો આધાર માનસિક પરિણામ છે. સીધા સંડાસમાં જવાથી જીવદયાના પરિણામ નિર્ધ્વસ બની જાય છે. વાડામાં જવાથી પરિણામ તેવા નિર્ધ્વસ બનતા નથી. આ વિષે શાસ્ત્રમાં કહેલી વાતને સમજવાથી આ વિષય અત્યંત સ્પષ્ટ થઈ જશે. શાસ્ત્રમાં એવી વાત આવે છે કે સાધુને અનિવાર્ય સંયોગોમાં ફળ ખાવાની જરૂર પડી. સચિત્ત ફળ સાધુથી ખવાય નહિ. એથી ફળને અચિત્ત કરવા પડે. ગૃહસ્થ સાધુ માટે ફળને અચિત્ત કર્યા પછી છોતરા-છાલ અને બી વગેરે ગમે ત્યાં ફેંકી દે, તેના કરતાં સાધુ જ ફળને અચિત્ત કરી છોતરા-છાલ વગેરે જયણાપૂર્વક પરઠવે. આથી સાધુ જ ગૃહસ્થની પાસેથી ફળ લાવીને અચિત્ત કરીને વાપરે તો શો વાંધો ? અહીં શાસ્ત્રકારોએ જવાબ આપ્યો કે ગૃહસ્થ ફળને અચિત્ત કરીને સાધુને આપે તેમાં ઓછું પ્રાયશ્ચિત્ત આવે અને સાધુ જાતે ફળને અચિત્ત કરે તેમાં વધારે પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે જાતે ફળને અચિત્ત કરવામાં સાધુના જીવદયાના પરિણામ નિર્ધ્વસ બની જાય. વાડામાં અંડિલ જવાની વાત પણ અનિવાર્ય સંયોગોમાં અપવાદ રૂપ સમજવી. કારણ કે વાડામાં અંડિલ જવાથી વિરાધનામાં નિમિત્ત બનવાના કારણે પ્રાયશ્ચિત્ત આવે છે. વિધિપૂર્વક બહાર અંડિલ જવામાં પ્રાયશ્ચિત્ત ન આવે. બહાર અંડિલ જવામાં પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org