________________
શંકા-સમાધાન
૩૪૯ થવા પામે. સાંભળેલું સાચું હોય તો આજે અમુક આચાર્યો-શ્રમણો લાઈટ કરાવીને ય તેની પ્રજામાં વાંચે-લખે છે. માટે પ્રભાનો પણ ઉપયોગ ટાળવો જ જોઈએ.
શંકા- ૭૮૬. બેટરીમાં (ચાજિંગ) પાવર-સેલ ભરેલો હોય, તો સાધુ-સાધ્વીથી અડાય કે નહિ ?
સમાધાન– બેટરીમાં ચાર્જ કરેલો પાવર ભરેલો હોય તો અડવામાં બાધ જણાતો નથી, પણ બેટરી ચાલુ હોય ત્યારે સાધુ-સાધ્વીથી ન અડાય. આમ છતાં બેટરીને અડવાનું ટાળવું જોઈએ. જેથી કોઇ જાતની શંકાને અવકાશ જ ન રહે.
શંકા- ૭૮૭. કોઈ કોઈ ગ્રુપમાં આચાર્ય આદિના કપડા વગેરેમાં સાધ્વીઓ વિવિધ રંગના દોરા નાખી આપે છે અને વિવિધ ડીઝાઈનો કરી આપે છે તે યોગ્ય છે ?
સમાધાન- આ જરાય યોગ્ય જણાતું નથી. (૧) આમાં વિભૂષા થાય છે. સાધુઓ માટે વિભૂષા વજર્ય છે. (૨) આ રીતે સાધ્વીઓની સાથે વાર્તાલાપ આદિ દ્વારા સાધ્વીઓનો સંપર્ક થાય. સંપર્ક ભવિષ્યમાં અહિત કરનારો બને એ સંભવિત છે. (૩) સાધ્વીઓના સ્વાધ્યાયમાં પલિમંથન હાનિ) થાય. શંકા- ૭૮૮. સાધુઓને કોઇ પ્રોજેક્ટ(=યોજના) હોય? સમાધાન- જેમાં ધનની જરૂર પડે તેવા પ્રોજેક્ટો( યોજનાઓ) સાધુઓને ન હોય. ધનની જરૂર ન પડે તેવા પ્રોજેક્ટો સાધુને હોય. તેવા બે જ પ્રોજેક્ટો તીર્થકરોએ જણાવ્યા છે. તેમાં પહેલો પ્રોજેક્ટ સંસ્કૃત-પ્રાકૃત વગેરે ભાષાનો અભ્યાસ કરીને ગીતાર્થ બનવાનો બતાવ્યો છે. બીજો પ્રોજેક્ટ ગીતાર્થ બની ગયા પછી પોતાના શિષ્યાદિને ગીતાર્થ બનાવવાનો છે. આ બીજો પ્રોજેક્ટ માવજીવ સુધી ચાલે. શંકા- ૭૮૯. પ્રોજેક્ટમાં સાધુઓ ભાગ લે તે યોગ્ય છે ?
સમાધાન- પ્રોજેક્ટમાં માર્ગદર્શન સિવાય બીજો કોઈ ભાગ સાધુઓથી ન લઈ શકાય. છતાં કોઈ સાધુ માર્ગદર્શન સિવાય પ્રોજેક્ટમાં ભાગ લે તો તેમના સંયમમાં હાનિ આવ્યા વિના ન રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org