________________
३४८
શંકા-સમાધાન
શંકા- ૭૮૪. અમુક સાધુઓ ચાતુર્માસ નક્કી કરતાં પહેલાં પંખો વપરાશે, માઈક-મોબાઇલ વપરાશે તો જ અમે ચાતુર્માસ આવીએ એવી શરતો કરે તો એ વાજબી છે ?
સમાધાન– આવી શરતો જરા ય વાજબી નથી. સંયમ વિરુદ્ધ અને સાધુના આચારવિરુદ્ધ શરતો નહિ કરનારા સાધુઓને જ ચાતુર્માસમાં લાવવા જોઈએ. પણ ક્યારેક ટ્રસ્ટીઓ ક્ષેત્ર ખાલી ન રહે એ માટે આવી શરતથી પણ સાધુઓને ચાતુર્માસમાં લાવતા હોય છે. આવા ટ્રસ્ટીઓ સાધુઓના શિથિલાચારને પોષવા દ્વારા જૈનશાસનનું અહિત કરે છે. જે જૈનશાસનનું અહિત કરે તેનું તો અહિત થયા વિના ન રહે. કેટલાક ટ્રસ્ટીઓ એમનું એ જાણે, આપણું ક્ષેત્ર સચવાય છે ને ? એવું વિચારતા હોય છે. આવા ટ્રસ્ટીઓના હૈયામાં પરમાર્થથી જૈનશાસન વસ્યું જ નથી. જેના હૈયામાં જૈનશાસન વસ્યું હોય તે આવું વિચારી શકે જ નહિ. આજે કેટલાક શ્રાવકો ટ્રસ્ટીઓ જાણતાંઅજાણતાં સાધુઓના શિથિલાચારને પોષણ આપતા હોય છે. માટે શ્રાવકોએ-ટ્રસ્ટીઓએ સાધુઓના આરારોને જાણીને પોતાનાથી શિથિલાચારને પોષણ ન મળે તેની કાળજી રાખવી જોઇએ.
શંકા- ૩૮૫. સાધુ રાતે લાઈટની પ્રજામાં વાંચે-લખે તો તેને ઉજજેહીની હિંસાની અનુમોદનાનો દોષ લાગે ?
સમાધાન- જો શ્રાવકે પોતાના જ માટે લાઇટ કરી હોય તો લાઈટની પ્રજામાં વાંચે-લખે તો ઉજેણીની હિંસાની અનુમોદનાનો દોષ ન લાગે. જેમ આહાર હિંસાથી જ તૈયાર થાય છે, આમ છતાં જો તે આહાર સાધુ માટે ન કર્યો હોય અને સાધુ એ આહાર વાપરે તો તેની હિંસાની અનુમોદનાનો દોષ લાગતો નથી. તેમ અહીં લાઈટ જો સાધુ માટે ન કરી હોય તો તેની પ્રજામાં વાંચનારલખનારને ઉજજેહીની હિંસાની અનુમોદનાનો દોષ ન લાગે. આમ છતાં સાધુએ પ્રભામાં વાંચવું-લખવું ન જોઈએ. પ્રભામાં વાંચવાલખવાની ટેવ પડી જવાથી સાધુને પ્રભા ન હોય તો લાઇટ કરાવીને પણ પ્રજામાં વાંચવા-લખવાનું મન થાય અને આવી પ્રવૃત્તિ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org