________________
શંકા-સમાધાન
૩૪૭ આધાકર્મિક આહારને વહોરે બહુ જ ટેસથી વાપરે. અહીં તેમણે પાપ કર્યું નથી અને કરાવ્યું પણ નથી. છતાં પોતાના માટે બનાવેલા આહારને વહોરીને પાપની અનુમોદના કરી અને ટેસથી વાપરીને વિષને વઘારવા જેવું કર્યું. કોઈ સાધુને શારીરિક કારણે પોતાના માટે અમુક આહાર બનાવવાની સૂચના કરવી પડે છે. અહીં સાધુએ પાપ કરાવ્યું ગણાય. આમ છતાં કારણથી પાપ કરાવ્યું હોવાથી પૂર્વોક્ત સાધુ કરતાં બહુ જ ઓછું પાપ લાગે. કારણ કે તેના પરિણામ તેટલા અશુભ બનતાં નથી.
આમ આરંભ-સમારંભ કેટલો થયો એના કરતાં પરિણામ કેવા રહ્યા એ મહત્ત્વની વાત છે. સાધુઓ માઈકમાં બોલે, જાતે લાઈટ કરે, જાતે ફોનમાં વાત કરે, ઈત્યાદિમાં સાધુના પરિણામ ઘણા અશુભ બને. આવા સાધુમાં ચારિત્રના પરિણામ ન ટકે. પેટી પેક અને માલ ગાયબ જેવી સ્થિતિ થાય.
શંકા- ૭૮૩. એક શહેરમાં સાધુ મહારાજને માઈક, એ.સી., ફોન, પંખા વગેરે વાપરતા જોયા, તે પણ સંઘના જાહેર કાર્યક્રમોમાં. તો આ યોગ્ય કહેવાય ?
સમાધાન– પ્રશ્નકારે ગીતાર્થ સાધુની પાસે જઈને જૈનસાધુ કેવા હોય તે વિસ્તારથી સમજી લેવું જોઈએ. અહીં સંક્ષેપમાં સમાધાન આ પ્રમાણે છે- જૈન સાધુ પાંચ મહાવ્રતોનું પાલન કરનારા હોય. એથી જ પાંચ મહાવ્રતોના પાલનમાં બાધક બને તેવી કોઈ પ્રવૃત્તિ જૈન સાધુથી ન જ કરાય. માઈક વગેરે હિંસાનાં સાધનોનો ઉપયોગ પાંચ મહાવ્રતોના પાલનમાં બાધક છે. એથી જૈન સાધુ આવા સાધનોનો ઉપયોગ ન કરે. આજે જૈન ગણાતા પણ અનેક શ્રાવકોને આ વિષે ઉંડાણથી જ્ઞાન હોતું નથી. અથવા કોઇને હોય તો પણ જમાનાવાદને આધીન બનીને આવું ચલાવી લેતા હોય છે. સાચો જૈન જમાનાવાદી ન હોય, કિંતુ જિનાજ્ઞાવાદી હોય. જિનાજ્ઞા પ્રમાણે થતો પરોપકાર સાચો પરોપકાર છે, જિનાજ્ઞાને મૂકીને થતો પરોપકાર પરોપકાર નથી, કિંતુ પરોપકારાભાસ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org