________________
શંકા-સમાધાન
૩૪૫ જીવો છે અને આગળ વધતા વનસ્પતિ વગેરે પણ જીવો છે. એથી અહિંસાનું પાલન કરવા માટે જીવોના બધા જ ભેદોને સૂક્ષ્મતાથી જાણવા જોઇએ. જો આ જીવોને સૂક્ષ્મતાથી જાણવામાં આવે, તો ખ્યાલ આવ્યા વિના ન જ રહે કે, માઇકમાં બોલવામાં જીવોનો નાશ થાય છે(=અહિંસાનું પાલન થતું નથી) આથી જ સાધુઓ માઈકનો ઉપયોગ કરતા નથી. અહીં કોઈ એવી દલીલ કરે કે માઇકમાં બોલવાથી વ્યાખ્યાન અધિક જીવોને સંભળાય અને એથી વધારે જીવોનું હિત થાય, આ અંગે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે "परोपकारो स एव हि सुधिया विधेयो य आत्मन उपकारको भवति" બુદ્ધિશાળીએ તે જ પરોપકાર કરવો જોઈએ, જે (ઉપકાર) પોતાના આત્માનું હિત કરનારો હોય, અર્થાત્ બીજાનું હિત કરવામાં પોતાનું અહિત ન થાય, તેવો પરોપકાર કરવો જોઇએ. માઇકમાં બોલવાથી પોતે કરેલી પ્રતિજ્ઞા ખંડિત થતી હોવાથી માઇકમાં વ્યાખ્યાન આપવામાં પોતાનું અહિત થાય. માટે સાધુઓ માઇકમાં વ્યાખ્યાન ન આપે. આ અંગે લૌકિક કહેવત છે કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. ઉપાધ્યાય એટલે શિક્ષક-માસ્તર. પૂર્વે શિક્ષકોને લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ આપતા, એમાં આટો પણ આપતા, એ લોકોમાં કોઇક પોતાના ઘરે છોકરાઓને ભૂખ્યા રાખીને ઉપાધ્યાયને આટો આપે, એ જેમ ઉચિત ગણાતું નથી, તેમ અહીં પોતાના આત્માનો અપકાર કરીને બીજાઓ ઉપર ઉપકાર કરવો એવી જિનાજ્ઞા નથી.
શંકા- ૭૮૧. સાધુથી જાતે મોબાઇલનો ઉપયોગ કરી શકાય ? સમાધાન- સાધુથી જાતે મોબાઇલનો ઉપયોગ કરી શકાય નહિ. અનિવાર્ય સંયોગોમાં ફોન કરાવવો પડે, તો હજી શ્રાવકો દ્વારા કરાવી શકાય. સાધુઓએ એ પણ સમજવું જોઈએ કે વાત-વાતમાં ફોન ન કરાવાય. સાધુ માટે ફોન એટલે સંકટ સમયની સાંકળ છે. પાપભીરુ કેટલાક શ્રાવકો પણ વાત-વાતમાં ફોન કરતા નથી. વાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org