SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૪૩ અનુમતિનો દોષ લાગે. કોઇ કોઇ સ્થળે ધર્મશાળામાં લગ્નાદિ કાય પણ થતા હોય છે. શંકા- ૭૭૮. કોઇક ધર્માત્મા શ્રાવકની શ્રદ્ધાંજલિ સભામાં સાધુ મહાત્મા નિશ્રા આપી શકે ? સમાધાન– કોઈ ધર્માત્મા શ્રાવક મૃત્યુ પામે તેની શ્રદ્ધાંજલિમાં સાધુઓ નિશ્રા ન આપી શકે પણ ગુણાનુવાદ સભા હોય તો તેમાં હજી નિશ્રા આપી શકે. કારણ કે પૂર્વના મહાપુરુષોએ શ્રાવકોના ને સતીઓના ચરિત્રો લખ્યા છે, એ ગુણાનુવાદ સ્વરૂપ છે. અવસરે ગુણી આત્માઓની પ્રશંસા ન કરવામાં “ગુણવંત તણી અનુપબૃહણા કીધી' એમ અતિચાર લાગે. અહીં એટલું સમજી રાખવું જોઇએ કે મૃત્યુ પામેલ શ્રાવકના ગુણાનુવાદમાં સ્વર્ગસ્થના કેવળ ધાર્મિક કાર્યોની જ પ્રશંસા થવી જોઈએ. તેમના વેપાર-ધંધાની કે સામાજિક કાય વગેરેની વાત ન જ આવવી જોઇએ. શંકા- ૭૭૯. સાધુથી માઈક વપરાય ? સમાધાન- સાધુથી માઈક ન વપરાય. કારણ કે ઇલેક્ટ્રીક વિના એનો ઉપયોગ નથી કરી શકાતો. ઈલેક્ટ્રીક એ તેઉકાયના જીવો છે. એટલે માઇકના ઉપયોગમાં તેઉકાયના જીવોની હિંસા થાય. તે સિવાય ગૃહસ્થો સાધુ માટે માઈક લાવે, પાછું આપવા જાય વગેરેમાં હિંસા થાય. સાધુએ સ્વયં તો સૂક્ષ્મ પણ હિંસા કરવાની નથી, કિંતુ પોતાના નિમિત્તે સૂક્ષ્મ પણ હિંસા બીજાઓ ન કરે તેની સાવધગીરી રાખવાની હોય છે. જેમ કે- કોઈ શ્રાવકે પોતાના નિમિત્તે જ આહાર બનાવ્યો હોય. આમ છતાં એ આહાર સાધુને વહોરાવવા ઉપાશ્રયમાં લઈ આવે તો સાધુથી ન વહોરાય. કેમકે તે ઘરેથી ઉપાશ્રયમાં આવે ત્યારે રસ્તામાં કીડી વગેરે જીવોની હિંસા કરે. આ હિંસા સાધુને વહોરાવવાના નિમિત્તથી થઈ છે. વરસાદની હેલી આદિના કારણે અપવાદથી લેવું પડે એ વાત અલગ છે. પણ સામાન્ય સંયોગોમાં ન લેવાય તથા સાધુએ પરોપકાર પણ એવો ન કરવો જોઇએ કે જેમાં સ્વોપકાર હણાય. જ્ઞાનીઓ સ્પષ્ટ કહે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy