SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૩૪૧ જરા પણ યોગ્ય નથી. આ જ રીતે રસ્તામાં પચ્ચખાણ પણ લેવુંઆપવું એ જરાય યોગ્ય નથી. શંકા- ૭૭૧. ઘરમાં, આયંબિલખાતામાં, રસ્તામાં સાધુ મહારાજને ઉભા રાખીને વંદન આદિ કર્યા વિનાના પચ્ચક્ખાણો લેવાય છે, અપાય છે એ ઉભયપક્ષને માટે યોગ્ય છે? સમાધાન– આ રીતે પચ્ચકખાણો લેવા-આપવા એ ઉભયપક્ષને માટે યોગ્ય નથી. ગુરુ મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં જઈને વંદન આદિ કરી વિધિપૂર્વક પચ્ચકખાણ લેવું જોઇએ. આ રીતે ગુરુ મહારાજને ઉભા રાખીને વંદનપૂર્વક પણ પચ્ચકખાણ ન લેવાય તો પછી વંદન વિના તો કેમ જ લેવાય? આમાં અવિધિના પોષણ સાથે ગુરુ પ્રત્યે અનાદરભાવ વ્યક્ત થાય છે. આના કારણે ગુરુ મહારાજ પ્રત્યે જેવો બહુમાનભાવ જળવાવો જોઈએ તેવો બહુમાનભાવ જળવાતો નથી. આ રીતે પચ્ચકખાણ આપનાર પણ અવિધિનું પોષણ વગેરેમાં નિમિત્ત બને છે. અહીં કોઈ કોઈ શ્રાવક દલીલ કરે છે કે નોકરી હોય, ઉપાશ્રય દૂર હોય વગેરે કારણથી ગુરુ મહારાજની પાસે જવાનો સમય ન મળે, એથી આ રીતે પચ્ચખાણ લઈ લેવું, પણ આ રીતે ગુરુ મહારાજની પાસે પચ્ચખાણ લેવું હિતાવહ નથી. તેમાં પણ રસ્તામાં તો ખાસ પચ્ચકખાણ ન લેવું જોઈએ. આ રીતે રસ્તામાં પચ્ચકખાણ લેવાથી અને આપવાથી જિનાજ્ઞાનો ભંગ થાય છે. આમાં વિનય અને વિવેક એ બંનેની ખામી છે. શંકા- ૭૭૨. ઉપાશ્રયની બહાર રસ્તામાં કે ઘરમાં પ્રસંગ વિના ખાસ કોઈ કારણ વિના ગુરુ મહારાજને રોકીને-ઉભા રાખીને વંદન આદિ વિના ગૃહસ્થો તરફથી માંગલિક સંભળાવવાની માગણી કરાય અને સંભળાવાય તે યોગ્ય છે ? સમાધાન– આમાં સૌ પ્રથમ વાત એ છે કે વિશિષ્ટ કારણ વિના માંગલિક સાંભળવાનો વિધિ નથી. વિશિષ્ટ પ્રસંગ હોય ત્યારે પણ વંદન આદિ વિધિપૂર્વક માંગલિક સાંભળવું જોઈએ. વિશિષ્ટ કારણ વિના ઉપાશ્રયમાં પણ માંગલિક સાંભળવાનો વિધિ નથી, તો પછી રસ્તા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy