________________
३४०
શંકા-સમાધાન ભાવાર્થ– ત્રસમાં મન, વચન અને કાયાના યોગમાં, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદમાં, શુક્લલેશ્યા-આહારકમાં મનુષ્યગતિમાં, પંચેન્દ્રિયમાં અને સંજ્ઞી માર્ગણામાં ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવલદર્શન, ૫ મતિજ્ઞાન, ૬ શ્રુતજ્ઞાન, ૭ અવધિજ્ઞાન, ૮ મન:પર્યવજ્ઞાન, ૯ કેવલજ્ઞાન, ૧૦ મતિઅજ્ઞાન, ૧૧ શ્રુતજ્ઞાન અને ૧૨ વિર્ભાગજ્ઞાન, સર્વ એટલે બારે ઉપયોગ હોય.
(શ્રી દાનસૂરિજી મહારાજ વિરચિત વિવિધ પ્રશ્નોત્તર વિભાગ પ્રથમ પ્રશ્ન ૧૯૮માંથી ઉદ્ભત).
શંકા- ૭૬૯. સાધ્વીના લાવેલા આહાર-પાણી અને વસ્ત્ર-પાત્ર વગેરે સાધુને કહ્યું ? સમાધાન–તેવી ગંભીર માંદગી આદિ વિશિષ્ટ કારણ વિના ન કલ્પે. શંકા- ૭૭૦. ખાસ કોઈ પ્રસંગ કે કારણ વિના રોજે રોજ જયાં ત્યાં રસ્તામાં પણ) શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીજીને માંગલિક સંભળાવવાનું કહે તે યોગ્ય છે ? અને સાધુ-સાધ્વી સંભળાવે તે યોગ્ય છે ?
સમાધાન– ખાસ પ્રસંગ કે કારણ વિના શ્રાવક-શ્રાવિકાએ સાધુસાધ્વીજીને માંગલિક સંભળાવવાનું ન કહેવું જોઇએ. ખાસ પ્રસંગ વિના અમુક શ્રાવક-શ્રાવિકા અમુક સાધુ-સાધ્વીજીને માંગલિક સંભળાવવાનું કહે અને તે સાધુ-સાધ્વીજી માંગલિક સંભળાવે તો તે શ્રાવક-શ્રાવિકા બીજા સાધુ-સાધ્વીજીને માંગલિક સંભળાવવાનું કહે અને એથી ખોટી પરંપરા ચાલે. આથી પહેલા નંબરમાં શ્રાવકશ્રાવિકાએ ખાસ પ્રસંગ કે કારણ વિના સાધુ-સાધ્વીજીને માંગલિક સંભળાવવાનું કહેવું જ ન જોઈએ. આમ છતાં શ્રાવક-શ્રાવિકા કહે તો સાધુ-સાધ્વીજીએ સમજાવીને ના પાડી દેવી જોઈએ, જેથી ખોટી પરંપરા ન ચાલે તથા અનિવાર્ય કારણ સિવાય (સાધુઓને વળાવવા જાય, મુસાફરી કરતાં રસ્તામાં સાધુ મહાત્માને વંદનાદિ કરવાનું થાય વગેરે) પ્રસંગ વિના રસ્તામાં માંગલિક સાંભળવું-સંભળાવવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org